સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા(SII)એ બાળકોની કોરોના વેક્સિન 6 મહિનામાં બજારમાં લાવવાની યોજના બનાવી છે.
બાળકોની વેક્સીન 'કોવોવેક્સ' 6 મહિનામાં
સીરમ ઇન્ટીટ્યૂટના પ્રમુખ પૂનાવાલાની જાહેરાત
બાળકોની વેક્સિન અસરકાર અને સુરક્ષિત હોવાનો દાવો
SIIના સીઈઓ અદાર પૂનાવાલાએ મંગળવારે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, કોવોવેક્સ હજુ ટ્રાયલ ચાલી રહ્યું છે. આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન આવશે.
વેક્સિન ત્રણ વર્ષ સુધીના બાળકોને કોરોનાથી બચાવશેઃ પૂનાવાલા
વેક્સિન ઉદ્યોગ સંબંધી કોન્ફરન્સમાં ભાગ લેતા પૂનાવાલાએ કહ્યું કે, બાળકોની વેક્સીન કોવોવેક્સ 3 વર્ષ સુધી બાળકોનો કોરોનાથી બચાવ કરશે. હાલના સમયમાં સીરમની કોવિશીલ્ડ અને અન્ય કંપનીઓની કોરોના વેક્સિન 18 વર્ષથી વધુ ઉમરતના લોકો માટે તૈયાર થઇ ગઇ છે.
આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન આવશેઃ પૂનાવાલા
પૂનાવાલાએ કહ્યું કે, અમને બાળકોમાં ગંભીર બિમારીઓ નજરે નથી આવી. સૌભાગ્યથી બાળકોને લઇને ડર જેવી સ્થિતિ નથી. જોકે, અમે આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન લાવીશું. આશા છે કે, 3 વર્ષ સુધીના બાળકો માટે હશે. તેમણે જણાવ્યું કે, દેશમાં પહેલાથી 2 કંપનીઓને બાળકોની વેક્સિન માટે લાયસન્સ આપી ચૂકાયું છે અને તેની વેક્સીન જલ્દીથી ઉપલબ્ધ થશે.
બાળકોની વેક્સિન અસરકાર અને સુરક્ષિત હોવાનો દાવો
પૂનાવાલાએ કહ્યું કે, તમારે બાળકોની રસી લગાવવી જોઈએ અને તેનું કોઈ નુકસાન નથી. આ વેક્સિન સુરક્ષિત અને અસરકારક મળી આવી છે. તેમણે કહ્યું કે, જો તમે ઇચ્છો છો કે તમારા બાળકોની રસી લગાવવી છે તો સરકારની જાહેરાતની રાહ જુઓ અને ત્યારબાદ રસી લગાવી લો. આ રસી કામ કરશે અને બાળકોને સંક્રમણ રોગથી બચાવશે.
ઓમિક્રોનના બાળકો પર અસર પર કંઇ ન કહી શકાય
સીરમના સીઈઓએ કહ્યું કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના બાળકો પર અસરને લઇને હાલ કંઇપણ ન કહી શકાય. આ કઇ રીતે અસર કરશે, હજુ કહી ન શકાય. હા, એટલું જરૂરી છે કે કોરોના વાયરસથી હજુ સુધી બાળકો પર બહુ ખરાબ અસર નથી થઇ. હું વિચારૂ છું કે તેનું શરીર, સેલ્સ અને ફેફસા સારી રીતે રિકવરી કરે છે.