કોરોના રસી આપવાની ઝુંબેશ આ મહિનાથી દેશમાં શરૂ થઈ શકે છે. દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તેની રસીના ભાવ પ્રથમ વખત જાહેર કર્યા છે. સંસ્થાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે તેમની રસી એક હજાર રૂપિયામાં સામાન્ય લોકોને મળી રહેશે.
કોરોનાની રસીને લઇને અદાર પુનાવાલાનું મોટું નિવેદન
સામાન્ય લોકોને 1000 રૂપિયામાં મળશે વેક્સિન
દેશમાં 2 દિવસ સુધી વેક્સિનના ડ્રાય રન ચાલશે
આપને જાણાવી દઇએ કે સરકાર ભારતમાં કોરોના રસી અભિયાન શરૂ કરવા માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ માટે શનિવારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રન કરવામાં આવ્યો હતો. દરમિયાન, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલએ રવિવારે ઇમરજન્સી ઉપયોગ માટે કોવિશિલ્ડને મંજૂરી આપી હતી. એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં, દેશમાં રસીકરણ અભિયાન શરૂ થઈ શકે છે.
Happy new year, everyone! All the risks @SerumInstIndia took with stockpiling the vaccine, have finally paid off. COVISHIELD, India's first COVID-19 vaccine is approved, safe, effective and ready to roll-out in the coming weeks. pic.twitter.com/TcKh4bZIKK
ઉલ્લેખનીય છે કે, આજે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોનાના ભાવને લઇને નિવેદન આપ્યું હતું. આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ ઓક્સફર્ડને રસી 200 રૂપિયામાં સરકારને આપશે. આ સાથે જ, સામાન્ય લોકોને આ રસી 1 હજાર રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે આ રસી ફાઈઝર-બાયોનોટેક કરતા સસ્તી છે અને તેનું પરિવહન પણ સરળ છે. તેમની કંપની દર મહિને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝાનિકા રસીના 50-60 મિલિયન ડોઝ બનાવી રહી છે.
'સરકાર સાથેના કરાર પર હસ્તાક્ષરની જોવાઇ રહી છે રાહ
અદાર પૂનાવાલાએ કહ્યું કે, વર્ષ 2021 ના મધ્ય સુધીમાં સરકારે દેશમાં 130 કરોડથી વધુ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક બનાવ્યું છે. અમે સરકાર માટે રસી પૂરી પાડવા તૈયાર છીએ. અમે સરકારને અમારી દરખાસ્ત મોકલી છે. હવે અમે સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર થવાની રાહ જોઈ રહ્યા છીએ. કરારના 10 દિવસની અંદર સરકારને રસી ઉપલબ્ધ કરાશે.
કોવાક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી
ડબ્લ્યુએચઓ દક્ષિણ પૂર્વ ક્ષેત્રના પ્રાદેશિક નિયામક ડો. પૂનમ ખેતરપાલસિંહે કહ્યું છે કે કોરોના વાયરસની અસરને ઘટાડવા માટે સમુદાયની સંડોવણી અને અન્ય જાહેર આરોગ્યનાં પગલાંની સાથે વસ્તી પર રસીનો અગ્રતા ઉપયોગ મહત્વપૂર્ણ છે. નોંધપાત્ર વાત એ છે કે DCGIએ ઓક્સફોર્ડની ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસી અને ભારત દ્વારા નિર્મિત ભારત બાયોટેક કોવાક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી મોદીએ પણ આપી શુભેચ્છા
પીએમ મોદીએ પણ કોવિશિલ્ડ અને કોવાક્સિનને ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી બદલ અભિનંદન પાઠવ્યા છે. દેશવાસીઓ અને રસી વિકસાવનારા વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં પીએમ મોદીએ તેને આત્મનિર્ભર ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે આનાથી કોરોના મુક્ત અને સ્વસ્થ ભારત નિર્માણના અભિયાનને વેગ મળશે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારતમાં બે કોરોના વાયરસ રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ડીવીજીઆઈ તરફથી કોવિશિલ્ડ અને કોવાક્સિનની મંજૂરીનું સ્વાગત કર્યું છે.
ડબ્લ્યુએચઓના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા આજે લેવામાં આવેલા આ નિર્ણયથી આ ક્ષેત્રમાં કોરોના વાયરસ રોગચાળા સામેની લડત વધુ તીવ્ર અને મજબૂત બનાવવામાં મદદ મળશે.