વિશ્વ અને દેશ કોરોના નામની મહામારીમાંથી મુક્ત થવાનો છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારી મહામારી હવે તેની અંતિમ ઘડીઓ ગણી રહી છે. ત્યારે ભારતમાં જાન્યુઆરી માસ સુધીમાં ઓક્સફર્ડની કોવિશિલ્ડ મળી શકે છે. કારણ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડના ઈમરજન્સી યુઝ માટે એપ્રુવલ માગ્યું હતું. સીરમના CEOએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ?
ભારતમાં જાન્યુઆરી માસ સુધીમાં ઓક્સફર્ડની કોવિશિલ્ડ મળી શકે
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડના ઈમરજન્સી યુઝ માટે એપ્રુવલ માગ્યું
દેશ અને વિદેશમાં હવે વેક્સિનની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ ભારતમાં દરેક વેક્સિન કંપનીઓ રસ લઈ રહી છે. કારણ કે ભારત જેવા મોટા દેશમાં કંપનીઓને મોટો વેપાર દેખાઈ રહ્યો છે. ફાઈઝર ઈન્ડિયા અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાની વેક્સિનના યૂઝ એર્થરાઈજેશનની પરમિશન માગી છે. ફાઈઝરે જ્યાં પોતાની વૈક્સિન ડેવલોપ કરી છે. ત્યાં સીરમ તેની બનાવી રહ્યું છે. સીરમે વેક્સિનનું ટ્રાયલ ભારતમાં કર્યું છે. પરંતુ ફાઈઝરની વેક્સિનનું નથી કર્યું. ફાઈઝરની વેક્સિન સ્ટોરેજ માટે પડકારજનક છે. તેથી એવી સંભાવનાઓ છે કે સીરમ અને ઓક્સફર્ડની કોવિશિલ્ડ ભારતમાં ઉપલબ્ધ થનારી પહેલી વેક્સિન હશે. સીરમના CEO અદાર પૂનાવાલાએ એક ટ્વિટમાં કહ્યું કે, વાયદા મુજબ 2020થી પહેલા કંપની પહેલી મેડ ઈન ઈન્ડિયા વેક્સિનના ઈમરજન્સી યૂઝ માટે એપ્લાય કરી દીધું છે. પૂનાવાલાએ ભારત સરકાર અને પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો.
વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી
કોવિશિલ્ડ સિવાય ભારત બાયોટેકની કોવેક્સિન, ઝાયકોવિડ, રશિયાની સ્પૂતનિક-V પણ આગામી વર્ષે એપ્રિલમાં આવી જશે. પરંતુ હાલ કોવિશિલ્ડ સૌથી આગળ ચાલી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટે એસ્ટ્રાજેનેકા સાથે વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે. કંપનીએ યુકેમાં થયેલા ટ્રાયલના ડેટાના આધારે ભારતમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી માગી છે. ભારતમાં ડ્રગ રેગુલેટર ડેટાની તપાસ કર્યા બાદ વેક્સિનને આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં એપ્રુવલ આપી શકે છે.
30 કરોડ ભારતીયોને વેક્સિન આપવાનું વિચારી રહી છે સરકાર
ભારત સરકાર જુલાઈ સુધીમાં 30 કરોડ ભારતીયોને વેક્સિન આપવાનું વિચારી રહી છે. આ માટે સૌથી વધારે ડોઝ સીરમ ઈન્સ્ટીટ્યૂટ પાસેથી જ મળવાની આશા છે. વેક્સિન એડમિનિસ્ટ્રેશનથી લઈને નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રાથમિક્તા દેશી વેક્સિનને મંજૂરી આપવાની છે. સરકાર આગામી પાંચ છ મહિનામાં કોવિશિલ્ડના લગભગ 40 કરોડ ડોઝ મળવાની આશા સેવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે કઈ વેક્સિન સૌથી પહેલા બજારમાં આવે છે દેશમાંથી કોરોનાને મુક્તિ આપે છે.