અદાર પુનાવાલાએ જણાવ્યું હતું કે સરકારે ઉપલબ્ધ ભંડારનો વિચાર કર્યા વગર જ જુદીજુદી ઉંમરના લોકો માટે કોરોના વેક્સિનેશન અભિયાન શરુ કરી દીધું છે.
કાર્યકારી ડિરેક્ટરના આ નિવેદનને સ્વીકારવા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા તૈયાર નથી
કાર્યકારી ડિરેક્ટરના આ નિવેદનને સ્વીકારવા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા તૈયાર નથી. સિરમે જણાવ્યું કે આ કંપનીનો વિચાર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને 22 મે ના રોજ લખેલા પત્રમાં સિરમના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહે સ્પસ્ટ જણાવ્યું હતું કે હાલના એક સમાહોરમાં તેના કાર્યકારી ડિરેક્ટર સુરેશ જાધવ દ્વારા અપાયેલા નિવેદન કંપનીનું નિવેદન નથી.
આ નિવેદન સીરમ ઈન્સ્ટીટ્યુટ વતી જારી કરાયું નથી
તેમણે પત્રમાં કહ્યું હતું કે અમારા સીઈઓ અદાર સી.પુનાવાલા વતી હું તમને સૂચિત કરુ છું કે આ નિવેદન સીરમ ઈન્સ્ટીટ્યુટ વતી જારી કરાયું નથી અને આ નિવેદનથી કંપની પોતાની જાતને અલગ રાખે છે. એ વાત ફરી કહેવામાં આવે છે કે આ જરા પણ કંપનીનો વિચાર નથી. તેમણે એવું પણ કહ્યું કે સિરમ કોવિશિલ્ડનું ઉત્પાદન વધારવા માટે કટિબદ્ધ છે અને કોવિડ-19 સામેની લડાઈમાં સરકારની સાથે છે.
પુનાવાલા કંપની તરફથી એકમાત્ર સત્તાવાર પ્રવક્તા
સિરમ ઈન્સ્ટીટ્યુટે એવું પણ જણાવ્યું કે પુનાવાલા કંપની તરફથી એકમાત્ર સત્તાવાર પ્રવક્તા છે. દેશમાં કોરોનાની વેક્સિનની અછતની વચ્ચે સિરમના કાર્યકારી ડિરેક્ટર સુરેશ જાધવે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે વેક્સિનના ઉપલબ્ધ ભંડાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના દિશા-નિર્દેશો પર વિચાર કર્યાં વગર જ સરકારે જુદી જુદી ઉંમરના લોકો માટે વેક્સિનેશન અભિયાન શરુ કર્યું છે.
જાધવે એવું પણ કહ્યું હતું કે શરુઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન અપાનાર હતી જેના માટે 60 કરોડ ડોઝની જરુર હતી. પરંતુ અમારા આ લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ અમારી પાસે કેટલી વેક્સિન ઉપલબ્ધ છે તેનો વિચાર કર્યાં વગર સરકારે 45 વર્ષથી ઉપરના અને ત્યાર બપાદ 18 વર્ષથી ઉપરના તમામ લોકોના વેક્સિનેશનની જાહેરાત કરી દીધી.