વિટામિન ડી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. કોરોના મહામારીની શરૂઆતથી જ દુનિયાભરના નિષ્ણાતો લોકોને પૂરતી માત્રામાં વિટામિન ડી લેવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે કોરોના વાયરસ સામે લડવામાં વિટામિન ડી સહિતના પોષક તત્વોની મોટી ભૂમિકા છે.
કોરોના કાળમાં વિટામીન ડીની ઉણપ મોતને નોતરી શકે-ઈઝરાઈલી વૈજ્ઞાનિકો
ઇઝરાયેલની બાર ઇલન યુનિવર્સિટી અને ગલી મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ કહ્યું કે વિટામિન ડીની ઉણપથી કોરોનાના દર્દી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ 14 ગણું વધી જાય છે અને ત્યાં સુધી કે જો વિટામીન ડીની વધારે ઉણપ હોય તો મોત પણ થઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે આમાંથી 52 ટકા લોકોના શરીરમાં વિટામિન ડીની ઉણપ હતી. તેમના શરીરમાં પોષકતત્વોનું પ્રમાણ 20 નેનોગ્રામ પ્રતિ મિલીમીટર (ng/ml) હતું. તે જ સમયે, 14 ટકા લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ 20-30 એનજી/એમએલ (સામાન્ય કરતા ઓછું), 17 ટકા લોકોમાં 30-40 એનજી/એમએલ (સામાન્ય) અને 16 ટકા લોકોમાં 40 એનજી/એમએલ (સામાન્ય કરતા વધુ) હતું.
વિટામિન ડી કોરોના સામે રક્ષણ આપી શકે
રિસર્ચ સાથે જોડાયેલા ડૉ.અમિલ દ્રોરે જણાવ્યું કે વિટામિન ડી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કોરોના વાયરસના કણ જ્યારે આપણા શ્વસનતંત્ર પર હુમલો કરે છે, ત્યારે વિટામિન ડીની મદદથી આપણી રોગપ્રતિકારક શક્તિ તેમની સામે લડે છે. જ્યારે આ પોષક તત્વોની કમી હોય છે, ત્યારે વાયરસની સામે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ડ્રોરનું કહેવું છે કે તે ઓમિક્રોનના કેસમાં તેમજ કોરોનાના તમામ વેરિએન્ટના કેસમાં પણ આવું જ કામ કરે છે.
પહેલેથી વિટામિન ડીની ઉણપ હોય તો કોરોનાથી મોતનો ખતરો વધુ
આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કોરોનાના દર્દીઓના વિટામિન ડીના ઈતિહાસનું પણ વિશ્લેષણ કર્યું હતું. તેમના મતે જે દર્દીઓને હંમેશા વિટામિન ડીની ઉણપ હોય છે, તેમનામાં કોરોનાના ગંભીર સંક્રમણની સાથે મૃત્યુનું જોખમ પણ વધારે રહે છે.
શરીરમાં વિટામિન ડી કેવી રીતે વધારવું?
વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ તડકામાં બેસો. આ સિવાય માછલી, પશુ ચરબી, સંતરાનો રસ, દૂધ અને અનાજનું સેવન કરવાથી આ ઉણપ દૂર કરી શકાય છે. આપણો 85 ટકા ખોરાક શાકભાજી, સલાડ, કઠોળ, દહીં, ફળો અને સૂપનો હોવો જોઈએ. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, કાળી ત્વચાવાળા લોકોમાં મેલાનિન (ત્વચાનું રંગદ્રવ્ય) ની ઉણપ હોય છે, જે શરીરમાં વિટામિન ડીને ઓછું કરે છે. તેથી તેઓએ લાંબા સમય સુધી તડકામાં રહેવું જોઈએ.