નવી દિલ્હીઃ કેરળમાં વરસાદી આફતે નોતરેલા વિનાશથી હજુ પણ લોકો લોકો બહાર આવ્યા નથી. લોકોનું જીવવું બેહાલ થઈ ગયુ છે. બીજી તરફ ફસાયેલા હજારો લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન યથાવત છે. અનેક રાજ્યો દ્વારા આર્થિક મદદ પણ મળી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે કેરળના જળપ્રલયને ગંભીર ડિઝાસ્ટર ગણાવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં આગામી ચાર દિવસ દરમિયાન વરસાદની શક્યતા ઓછી હોવાથી લોકોને રાહત મળી શકે છે. તો મુખ્યમંત્રી પી. વિજયનના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ રાહત અને બચાવ કામગીરી યથાવત છે અને છેલ્લાં પડાવમાં છે. જ્યાં સુધી કેરળમાં પુર્નવાસ નહીં થાય ત્યાં સુધી રાહત કેમ્પ પણ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે 10 લાખથી વધુ લોકો હાલ 3 હજાર 274 જેટલાં રાહત કેમ્પમાં આસરો લઈ રહ્યા છે. એસોચેમનું માનીએ તો કેરળમાં જળપ્રલયના પગલે રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન થયું છે. અનેક રાજ્યોમાંથી કરેળ માટે સહાય પણ પહોંચી રહી છે. પરંતુ કેરળની ખોવાયેલી સંસ્કૃતિ અને સુંદરતાને બેઠી થતા સમય ચોક્કસ લાગશે.