રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાસ સામે ભ્રષ્ટાચાર મામલે જે આરોપો લાગ્યા છે તે મુદ્દે DGP વિકાસ સહાયને હવે તપાસ સોંપવામાં આવી છે. જોકે આ મામલે હવે સાંસદ રામ મોકરિયાએ પણ કમિશનર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
રાજકોટ પોલીસ કમિશનર પર લાગેલા આક્ષેપોની તપાસ થશે
DGP વિકાસ સહાય દ્વારા તપાસ કરવામાં આવશે
વિકાસ સહાય મનોજ અગ્રવાલ કરતા 2 વર્ષ સિનિયર
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સામે જે પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે. તેને લઈને મુદ્દો હવે દિવસેને દિવસે વધારે વણસી રહ્યો છે. આ મામલે ટ્રેનિંગના DGP વિકાસ સહાય આજથી તપાસનો દોર હાથમાં લેવાના છે. પોલીસના મેન્યુલ મુજબ સિનિયરને તપાસ સોંપવી પડે તેવો નિયમ હોય છે. જેથી DGP વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે.
DGP વિકાસ સહાયના હાથમાં તપાસ
DGP વિકાસ સહાય મનોજ અગ્રવાલ કરતા બે વર્ષ સિનિયર અધિકારી છે. જેથી હવે તેઓ ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર અંગે તપાસ કરશે. તેઓ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચનો રોલ અને પોલીસ કમિશનર પાસેની કુલ મિલકતની તપાસ કરી શકે છે. સાથેજ કમિશનર મનોજ અગ્રવાલ સામે પણ જે આક્ષેપો લાગ્યા છે. તેની પણ તપાસ થશે.
30 ટકા કમિશનની વાત
આ બનાવ વિશે જો વિગતવાર વાત કરીએ તો કમિશનર મનોજ અગ્રવાલ પર આરોપ લાગ્યા છે કે તેમણે ફરિયાદી મહેશ સખીયા પાસેથી કમિશન પેટે ઉઘરાણી કરી હતી. રાજકોટના ફરિયાદી મહેશ સખીયાના 15 કરોડ ફસાયા હતા જેથી તેમણે કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી. જેથી કમિશનરે PI દ્વારા 30 ટકા કમિશનની વાત કરી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
15 ટકામાં મામલો સેટ કરાયો
30 ટકા કમિશનની માંગ સાથે 15 ટકામાં આ સમગ્ર મામલો સેટલ થયો અને તેને ફરિયાદીને ફરિયાદના બદલે અરજી આપવામાં કહેવામાં આવ્યું. અરજી આપ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કરોડ રૂપિયા પણ અપાવ્યા જેમાથી કમીશન પેટે 1 કરોડ આપાવામા હતા. પહેલા 25 લાખ પીએસઆઈ વી. કે સખારાએ લીધા અને બીજા 50 લાખ વચેટિયાએ લીધા હતા તેવા ગંભીર આક્ષેપો રાજકોટ પોલીસ સામે લાગ્યા છે.
ફરિયાદી મહેશ સખીયાએ ભાજપ નેતાને વાત કરી
જોકે પીઆઈ દ્વારા બાકીના નાણાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી મહેશ સખીયાએ કંટાળીને ભાજપ નેતાઓને રજૂઆત કરી. જેથી આ મામલે ગોવિંદ પટેલે પત્ર લખીને ગૃહ રાજ્યમંત્રીને જાણ કરી હતી. માટે હવે ગૃહ વિભાગ દ્વારા સમગ્ર મામલે DGP વિકાસ સહાય ને તપાસ સોંપવામાં આવી છે.
સાંસદ રામ મોકરિયાનું નિવેદન
સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રાજકોટ પોલીસ હથિયાર માટે રૂપિયા પડાવે છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે જે રૂપિયા આપે તેનીજ ફરિયાદ નોંધવામાં આવે છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે જમીન માફિયા, વ્યાજખોરો અને બુટલેગરોને પણ પોલીસ સાચવે છે. સાથેજ તેમણે કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. વધુમાં તેમણે એવું પણ કીધું કે પોતાનો રેકોર્ટ સારો રાખવા મનોજ અગ્રવાલ પ્રયાસ કરી રહ્યા છે.
કમિશનરની મિલકતની પણ તપાસ થશે
ઉલ્લેખનીય છે કે પોલીસ મેન્યુઅલ મુજબ સિનિયરને તપાસ સોંપવી પડે તેવો નિયમ હોય છે. જેથી DGP વિકાસ સહાય મનોજ અગ્રવાલ કરતા 2 વર્ષ સિનિયર અધિકારી છે. જેથી હવે તેઓ ગોવિંદ પટેલના પત્ર અંગે તપાસ કરષે. જેમા પોલીસ કમિશનરની મિલકત અને ક્રાઈમ બ્રાન્ચનો રોલ પણ આ કેસમાં તપાસ થશે.