રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે વીંછીયા ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કરાયો
રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ
કુંવરજી બાવળિયા સામે આક્ષેપ
ભુપત કેરાળીયાએ પાટીલને લખ્યો પત્ર
રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના પૂર્વ મહામંત્રીએ આક્ષેપ કર્યો છે. વીંછીયા ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કર્યો છે.
બાવળિયા જ્ઞાતિવાદ, પોતાના કાર્યકરોને હંમેશા આગળ કરે છે
રાજકોટ જિલ્લા ભાજપના જ પૂર્વ મહામંત્રીએ ભુપત કેરાળીયાએ પૂર્વમંત્રી કુંવરજી બાવળિયા સામે વીંછીયા ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બાવળિયા જ્ઞાતિવાદ, પોતાના કાર્યકરોને હંમેશા આગળ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ સી.આર.પાટીલને લખ્યો પત્ર
મહત્વનું છે કે, પૂર્વ મહામંત્રીએ ભુપત કેરાળીયાએ આ અંગે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી ફરિયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે, નર્મદાનું પાણી ન મળે તે માટે થોરીયાળી ગામ તરફની નવી પાઇપલાઈન માટે બાવળિયા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયા પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.
આ પહેલા પણ કુંવરજીનો ઓડિયો વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપો હતો
ચૂંટણીને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે. કુંવરજી બાવળિયા અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં ગટરની નબળી કામગીરી મુદ્દે સભ્યે આક્ષેપ કર્યો હતો જે અંગેની વાતચીતમાં આરટીઆઇ કરવાની વાત આવતા પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા લાલઘૂમ થયા હતા.