બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાપ રે! 500થી વધુ દર્દીઓ પર કરાયું ક્લિનિકલ ટ્રાયલ, VS હોસ્પિટલ રિસર્ચ કૌભાંડમાં કોર્પોરેટરના ગંભીર આક્ષેપ
Last Updated: 02:24 PM, 21 April 2025
અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ કૌભાંડ કેસમાં મોટો આક્ષેપ થયો છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજેશ્રી કેસરીએ આ મામલામાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ક્લિનિક ટ્રાયલમાં 3 દર્દીઓના મોત થયાનો આક્ષેપ કર્યો..સાથે જ કહ્યું કે VS હોસ્પિટલમાં 500 દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ થયું છે.
ADVERTISEMENT
રાજશ્રી કેસરીએ વધુમાં કહ્યું કે આ અંગે તપાસ કમિટી બની નથી તેના તેમની પાસે પૂરાવા છે, તેમણે તેમની પાસે MOUની કોપી છે તેવું પણ કહ્યું જેમાં ડો. પારુલ શાહ અને દેવાંગ રાણા કમિટીના હેડ હતા.
આ પણ વાંચોઃ વિધવા પુત્રવધુનું કન્યાદાન કરી સાસુ-સસરાએ નિભાવી મા-બાપની જવાબદારી, લગ્ન મંડપમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો
ADVERTISEMENT
તેમણે ક્લિનિકલ ટ્રાયલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાયા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે તપાસ કમિટી અંગે પોલીસ તપાસ કરે તેવી માંગ કરી. રાજશ્રી કેસરીએ કહ્યું કે રિસર્ચ માટે દર્દીઓને બે થી ત્રણ હજાર રૂપિયા આપવામાં આવતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.