નવજોત સિંહ સિદ્ધુની બહેને તેના પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેમા પ્રેસ કોન્ફરન્સ કરીને સિદ્ધુની બહેન સુમન તોરે કહ્યું કે તે ક્રુર માણસ છે રૂપિયા માટે તેણે માતાને પણ છોડી દીધી હતી.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની બહેને તેમના પર ગંભીપર આરોપો લગાવ્યા છે. સિદ્ધુની મોટી બહેન સુમને તૂરે એવું નિવેદન આપ્યું કે તેણે માતાને પણ રૂપિયા ખાતર છોડી દીધી હતી. સાથેજ તેણે નવજોત સિંહ સિદ્ધુને એક ક્રુર માણસ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ સમુન તૂર છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાંજ રહે છે.
#WATCH | Chandigarh: Punjab Congress chief Navjot Singh Sidhu's sister from the US, Suman Toor alleges that he abandoned their old-aged mother after the death of their father in 1986 & she later died as a destitute woman at Delhi railway station in 1989.
1986માં સિદ્ધુના પિતાનું નિધન થયું હતું અને બાદમાં તેણે તેની માતાને પણ છોડી દીધી હતી. સાંભળીને આપને નવાઈ લાગશે કે સુમન તૂરે એવું નિવેદન પણ આપ્યું છે કે 1989માં દિલ્હી રેલ્વે સ્ટેશન પર તેની માતાનું મોત થયું હતું.
પ્રેસ કોન્ફરન્સ કરી લગાવ્યા ગંભીર આરોપ
હાલ સૂમન ચંદીગઢમાં છે જ્યા તેણે એક પત્રકાર પરિષદ યોજી નવજોત સિંહ સિદ્ધુ પર આરોપ લગાવ્યા છે કે તેના પિતાના મૃત્યું બાદ તેણે તેની માતાને ઘરમાંથી કાઢી મુકી હતી. સાથેજ તેણે એવો દાવો કર્યો કે 1989માં રેલ્વે સ્ટેશન પરજ તેની માતાનું મોત થયું હતુ. વધુમાં સુમને એવું પણ કહ્યું કે અમે ખુબજ કઠણ સમય જોયો છે. મારી માતા ચાર મહિના હોસ્પિટલમાં દાખલ હતી. સાથેજ તેણે એવું પણ કહ્યું તેણે જે કઈ પણ દાવા કર્યા છે તેની પાસે તેના દસ્તાવેજ પણ છે.
સંપત્તિ માટે સંબંધ તોડી કાઢ્યો
સુમન તુરે નવજોત સિંહ સિદ્ધુ પર એવો આરોપ લગાવ્યો છે કે તેણે સંપત્તિ માટે તેના સાથે સંબંધ તોડી કાઢ્યો હતો. તેણે કહ્યું કે મારા પિતાએ પેન્શન સિવાય એક ઘર અને જમીન સહિતની સંપત્તિ છોડી હતી. પરંતું સિદ્ધુએ રૂપિયા માટે મારી માતાને છોડી દીધી. સાથેજ તેણે કહ્યું કે 1987માં તેણે ઈન્ડિયા ટુડેને એક ઈન્ટરવ્યું આપ્યો હતો જેમા તેણે તેના માતા પિતા વીશે જે પણ દાવાઓ કર્યા હતા તે દરેક દાવા ખોટા હતા.
ઘરે મળવા ગઈ ત્યારે દરવાજો પણ ન ખોલ્યો
સમગ્ર મામલે સુમને એ દાવાના સબૂત માગ્યા જેમા સિદ્ધુએ તેની માતા અને પિતા કાયદેસર અલગ રહે છે તેવી વાત કરી હતી. સાથેજ તેણે કહ્યું કે તેના આ દાવાને લઈને મારી માતાએ કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો. સુમને કહ્યું કે ગત 20 જાન્યુઆરીએ તે સિદ્ધુને મળવા ગઈ હતી પરંતુ સિદ્ધુ તેમને ન મળ્યો અને ઘરનો દરવાજો પણ ન ખોલ્યો.
મજબૂરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવી પડી
નવજોત સિંહ સિદ્ધુ સાથે સંપર્ક ન થતા મજબૂરીમાં મારે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે તેવું સુમને કહ્યું છે. સાથેજ તેણે કહ્યું કે તેણે ફોન ઉપર પણ તેને બ્લોક કરી કાઢી છે. વધુમાં તેણે એવું પણ કહ્યું કે મારી ઉંમર 70 વર્ષની છે અને મારી માતા માટે મને ન્યાય જોઈએ છે. ઉપરાંત તેણે એવું પણ કહ્યું કે તેના પરિવાર વીશે આ વાતોનો ખુલાસો કરવો તેના માટે ઘણુ મુશ્કેલ છે.
20 ફેબ્રુઆરીએ પંજાબમાં વિધાનસભાવ ચૂંટણી
ઉલ્લેખનીય છે કે સિદ્ધુ પર તેની બહેને આવા આરોપ તેવા સમયે લગાવ્યા છે. જે સમયે તેઓ વિધાનસભા ચૂંટણીમાં પંજાબના મુખ્યમંત્રીની આશાએ પ્રચાર કરી રહ્યા છે. અગામી 20 ફેબ્રુઆરીએ પંજાબમાં 117 સીટો પર મતદાન થવાનું છે.