અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક આતંકવાદને આર્થિક મદદ કરવાના મામલે આજે NIA સમક્ષ રજૂ થશે. અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ એજન્સીએ તેમને આશ્વાસન આપ્યું છે કે તેમની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. મીરવાઈઝને ત્રીજી વાર સમન્સ મોકલવામાં આવ્યું છે.
અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક આતંકવાદને આર્થિક મદદ કરવાના મામલે આજે NIA સમક્ષ રજૂ થશે. અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ એજન્સીએ તેમને આશ્વાસન આપ્યું છે કે તેમની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. મીરવાઈઝને ત્રીજી વાર સમન્સ મોકલવામાં આવ્યું છે. જેમાં તેમને ખાતરી આપવામાં આવી કે રાષ્ટ્રીય તપાસ એજન્સી તેમની સુરક્ષાનું પૂરતુ ધ્યાન રાખશે.
તો અલગાવવાદી નેતાઓના સભ્યોએ કહ્યું કે, હુર્રિયત કોન્ફરન્સ નેતા અબ્દુલ ગની ભટ, બિલાલ લોન અને મૌલાના અબ્બાસ અંસારીએ મીરવાઈઝ પાછળ રેલી કરવાનો નિર્ણય લીદો છે. પોતાની એકજૂટતા બતાવવા માટે તેઓ NIAના કાર્યાલય સુધી સાથે જશે.
ઉલ્લેખનીય છે કે, NIAએ ગત 26મી ફેબ્રુઆરીના રોજ મીરવાઈઝ સહિત અનેક અલગાવવાદી નેતાઓના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. NIAની તપાસમાં આતંકવાદી ગતિવિધિઓને ફંડિંગ, સુરક્ષાબળો પર પથ્થરમારો, સ્કૂલો સળગાવવી અને સરકારી સંસ્થાઓને નુકસાન પહોંચાડનારા તત્વોની ઓળખ કરવાની છે.
આ મામલે પાકિસ્તાન સ્થિત જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ, પ્રતિબંધિત લશ્કર એ તૈયબા, સૈયદ અલી શાહ ગિલાનીના નેતૃત્વવાળા હુર્રિયત સંગઠનો જેવા સંગઠનો સિવાય મીરવાઈઝ, હિઝબુલ મુઝાહિદ્દીન અને દુખ્તારન એ મિલત સંકજામાં છે.