જમ્મૂ-કશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFના અધ્યક્ષ યાસીન મલિકને દિલ્લીની તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA હવે યાસીન મલિકની પૂછપરછ હાથ ધરશે.
જમ્મૂ-કશ્મીરમાં ચૂંટણી પહેલા સરકારનું એક મોટું પગલું સામે આવ્યું છે. જમ્મૂ-કશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFના અધ્યક્ષ યાસીન મલિકને દિલ્લીની તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. યાસીન મલિકને જમ્મૂની કોટ બલવાથી તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA હવે યાસીન મલિકની પૂછપરછ હાથ ધરશે. NIAએ યાસીન મલિક વિરૂદ્ધ પ્રોડક્શન વોરન્ટ પણ મેળવ્યો છે.
જેથી હવે NIA દિલ્લીમાં યાસીન મલિકની પૂછપરછ હાથ ધરશે. NIA યાસીન મલિક પર અલગાવવાદી નેતાઓ અને આતંકી સંગઠનોને ફંડિંગ કરવાના મામલે પૂછપરછ હાથ ધરશે. યાસીન મલિકની ગયા મહિને જ ધરપકડ કરવામાં આવી હતી અને જમ્મૂની કોટ બલવા જેલમાં મોકલી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકારે JKLF પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે પીડીપીના નેતા મહેબૂબા મુફ્તિએ JKLF પર પ્રતિબંધ મૂકતા વિરોધ કર્યો હતો. યાસીન મલિક પર ઘણી બધી અપરાધની ધારાઓ હેઠળ મામલો દાખલ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર યાસીન મલિકની ટેરર ફંડિગ મામલે એનઆઇએ દ્વારા પૂછપરછ કરાય તેવી શક્યતા છે.
યાસીન મલિક વિરુધ્ધ સીબીઆઇએ જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં અંદાજે ત્રણ દાયકા અગાઉ જુના મામલે આરોપી બનાવ્યો છે. જો કે હાઇકોર્ટે સીબીઆઇની અરજી પર હાલમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયની એક અધિસૂચનામાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીર ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોને બહાર નિકાળવામાં યાસીન મલિક માસ્ટરમાઇન્ડ રહ્યો છે અને તેમના પર થયેલા અત્યાચાર પાછળ તે જવાબદાર છે.