જો તમારી પાસે કાર અથવા ટુવ્હીલર વાહન છે તો 1 સપ્ટેમ્બરથી વીમા નિયમોમાં ફેરફાર માટે તૈયાર રહો, નવા નિયમ હેઠળ ટુવ્હીલર વાહન અથવા કાર પર સાધારણ વીમા કંપનીઓ પોતાના ગ્રાહકોને ખાસ સુવિધા આપશે. એવામાં ચલો જાણીએ કયા નિયમમાં ફેરફાર થવાના છે.
વાસ્તવમાં સાધારણ વીમા કંપનીઓ હવે વાહનોને ભૂકંપ, પૂર જેવી પ્રાકૃતિક આપત્તિઓ, તોડફોડ અને હુલ્લડો જેવી ઘટનાઓથી થતા નુકસાન માટે અલગ અલગથી વીમા કવર ઉપલબ્ધ કરાવશે. આ સંબંધમાં વીમા નિયામક ઇરડાએ સાધારણ વીમા કંપનીઓને આદેશ આપતાં 1 સપ્ટેમ્બરથી લાગૂ કરવા માટે કહ્યું છે.
ઇરડાએ નવા સર્કુલરમાં કહ્યું છે, 'વીમા કંપનીઓને 1 સપ્ટેમ્બર, 2019થી નવી અને જૂની ગાડીઓ ઉપરાંત ટુવ્હીલર વાહનો માટે પોતાના નુકસાન વાળી પોલિસી રજૂ કરવી પડશે. એમાં પોલિસીધારકના કહેવા પર આગ અને ચોરીના નુકસાનને પણ કવર કરી શકાશે.'
વીમા કંપનીઓને અલગથી ઑન ડેમેજના કવરની સાથે પૂરું પેકેજ પોલિસીની રજૂઆત કરવાનો પણ વિકલ્પ હશે. એમાં થર્ડ પાર્ટીની વીમા પોલિસીની સાથે જ ઑન ડેમેજનું જોખમ કવર પણ થશે. હાલ કંપનીઓને ઑન ડેમેજ વાળી વીમા પોલિસી લાંબા સમય માટે જારી કરવાની અનુમતિ નહીં થાય.
નિયમાકે એવું પણ કહ્યું છે કે પોલિસી ધારકોને તમામ જોખમ સંપૂર્ણ કવર કરનારી પોલિસીમાંથી માત્ર ઑન ડેમેજના ભાગનો અલગથી રિન્યૂ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે.
આ સુવિધા 1 સપ્ટેમ્બર 2019 એ અથવા ત્યારબાદ ઉપલબ્ધ હશે. આ રિન્યૂ એ વીમા કંપની અથવા બીજી વીમા કંપનીથી પણ કરાવી શકાય છે.
જણાવી દઇએ કે ઇરડાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને જોતા પોતાના પૂર્વના આદેશમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ હવે પહેલાની જેમ સંપૂર્ણ પોલિસી ખરીદવી ફરજીયાત નહીં થાય. તૉજો તમે ઇચ્છો તો બંને પાર્ટ અલગ અલગ લઇ શકો છો અને રિન્યૂ પણ અલગ અલગ કરાવી શકો છો.