આ સાથે જ પોલીસે જિલ્લાની સીમા પણ સીલ કરી દીધી છે. મહત્વનું છે કે 11 ઓક્ટોબરે હિસારની વિશેષ કોર્ટે રામપાલ સહિત 26ને દોષિત જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સજાના એલાન માટે 16 અને 17 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે સજાના એલાન પહેલા બાબા રામપાલ કોર્ટના ફેંસલાને હાઈકોર્ટમાં પડકારી શકે છે. સજાના એલાનને જોતા સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે અને તંત્રએ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે.
Haryana: Security tightened in Hisar as the Court here will pronounce quantum of sentence against self-styled godman Rampal and 22 others in two murder cases today. pic.twitter.com/Z4T05HmPbk
કોર્ટે કેસનં-429માં 15 દોષીઓને સજા સંભળવવા માટે 16 ઓક્ટોબરનો દિવસ નક્કી કર્યો હતો તો આ સાથે જ કેસનં-430 હેઠળ 13 આરોપીને બુધવારે સજા સંભળાવવામાં આવશે. બંન્ને કેસમાં 6 લોકો કોમન છે. આરોપીઓને IPCની કલમ 302 343 અને 120-બી બેઠળ દોષી જાહેર કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે કેસનં-429 બરવાળાના આશ્રમમાં 16 નવેમ્બર 2014ના રોજ થયેલ હિંસામાં 4 મહિલાઓ સહિત એક દોઢ વર્ષના બાળકની હત્યા સાથે જોડાયેલ છે. આ કેસમાં આરોપીઓની કલમ 302 343 તથા 120 બી હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યા છે.