વાપીની સેન્ટમેરી શાળામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. અવારનવાર વિવાદોમાં આવતી સેન્ટમેરી સ્કૂલે આખરે ઝૂકવું પડ્યું. શાળામાં જયશ્રી રામ બોલવા મુદ્દે વિદ્યાર્થીઓ પાસેથી માફીનામુ લખાવનાર શાળાએ ખુદ માફીનામુ લખવું પડ્યું. વાલીઓ અને હિંદુ સંગઠનનો રોષ જોતા વાપીની સેન્ટમેરી શાળાએ લેખિતમાં માફી માગવી પડી. મહત્વનું છે કે વાપીની મિશનરી સેન્ટ મેરી સ્કૂલે શાળામાં જયશ્રીરામ બોલવા પર વિદ્યાર્થીઓને ઘૂંટણિયે બેસાડીને લેખિતમાં માફી મંગાવી હતી જે અંગે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
જયશ્રી રામ બોલતા આપી હતી ધમકી
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલી ચણોદ કોલોની ની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓએ સ્કૂલના કોરિડોરમાં ઉભા રહી એક બીજાને જયશ્રી રામ કહીને સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જયશ્રી રામના બોલતા સ્કૂલની ડીસિપ્લીનરી કમિટી અને સંચાલકોએ બંને વિદ્યાર્થીઓએ જાણે કોઇ ગંભીર ગુનો કર્યો હોય તેમ શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. વળી બંને વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઘૂંટણીએ બેસાડી વિદ્યાર્થીઓએ પાસે સ્કૂલ ડીસિપ્લીનરી કમિટીના હેડે સ્કૂલમાં જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફીનામું પણ લખાવ્યું હતું.. જે અંગે બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનને જાણ થતા તેઓ શાળાએ પહોંચ્યા હતા અને જયશ્રી રામના નારા લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીનીઓને મહેંદી ન લગાવવાનું ફરમાન
વાપીની સેન્ટ મેરી સ્કૂલ અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. આ શાળામાં શ્રાવણ મહિના કે હિન્દુ ધર્મ ના તહેવારો માં વિદ્યાર્થીની મહેંદી લગાવી ને આવે કે હાથ માં લાલ દોરા બાંધેલા હોય કે તિલક કરેલું હોય તો પણ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોવાના વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ આક્ષેપ કરી રહ્યા છે..જોકે અવાર નવાર હિન્દુ ધર્મ ના તહેવારો વખતે અજીબ ફરમાન કરતા સ્કૂલ સંચાલકો ને આ મામલે પૂછતા મીડિયા સામે બોલતી બંધ થઈ ગઈ હતી...