ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ મોનેટરી પોલીસી જાહેર કરી. જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતું રિઝર્વ બેંકે ઇકોનોમીમાં ઝડપી રિકવરીના સંકેતના અનુમાનને લઇને ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. જેને લઇને સેંસેક્સે પોતાના ઇતિહાસમાં પહેલી વખત 45,000નો આંકડો પાર કરી લીધો છે.
શેરબજારમાં કારોબાર દરમિયાન સેંસેક્સ 45,023.79 સુધી ઉછળ્યો. શુક્રવારના રોજ શેરબજારની શરુઆત સપાટ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એકસચેંજનો સેંસેક્સ 33 પોઇન્ટના વધારા સાથે 44,665.91 પર ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી 13 પોઇન્ટની તેજી સાથે 13,177 પર ખુલી.
જો કે આરબીઆઇની મોનેટરિંગ પોલીસી જાહેર થયા બાદ સેંસેક્સે પહેલી વખત 45,000નો આંકડો પાર કર્યો છે. આમ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં તેજી જોવા મળી છે.
વ્યાજ દરમાં કોઇ ફેરફાર નહીં
ભારતીય રીઝર્વ બેંકની ત્રણ દિવસની MPC બેઠકના પરિણામ આવી ગયા છે. ભારતીય રીઝર્વ બેંકો વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. બધાની નજર એ વાત પર હતી કે રિઝર્વ બેંક વ્યાજ દરમાં કોઇ ફેર કરશે કે નહીં અને લોકોના EMI ઘટશે?
RBIના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા છે.