પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વજપેયીના નિધનના સમાચાર આવતાની સાથે જ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત અનેક મહાન નેતાઓ AIIMS પહોંચ્યા હતા. આ સાથે હજુ પણ અનેક નેતાઓ AIIMS પર આવી રહ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વજપેયીનું નિધન દિલ્હીના એમ્સમાં સાંજે પાંચ વાગ્યે અને પાંચ મિનિટ પર થયું છે. ત્યારબાદ દેશભરમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું છે. દિગ્ગજ નેતાઓ અને અન્ય મહાન હસ્તીઓ AIIMS પર આવી રહ્યા છે.
વાયપેયીના નિધનના સમાચાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને એમની પ્રેરણા માર્ગદર્શન દરેક ભારતીયોને તમામ ભાજપ કાર્યકર્તાઓને હંમેશા મળતા રહેશે.
વાજપેયીના નિધન પર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે અને વાજપેયીને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી.
આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કરીને ટ્વ્ટિ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના મોટા નેતાઓએ એમ્સ જઇને એમની સ્થિતિ પૂછી હતી. ભારતીય જનતા પાર્ટીએ દેશમાં પોતાના દરેક કાર્યક્રમો રદ કરી દીધા છે.