રામ જેઠમલાણી છેલ્લા કેટલા સમયથી ગંભીર રીતે બિમાર હતા. રામ જેઠમલાણી અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય કાયદા મંત્રી અને શહેરી વિકાસ મંત્રી રહ્યા હતા. વર્ષ 2010માં તેમણી સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. હાલમાં રામ જેઠમલાણી RJD ના રાજ્યસભા સાંસદ પણ હતા. એક વકીલ હોવાની સાથે તેમણે દેશના ઘણા બહુચર્ચિત કેસ લડ્યા, જેમાં ઘણા વિવાદિત હતા.
Veteran lawyer Ram Jethmalani passes away at his residence in Delhi. He was 95 years old. (file pic) pic.twitter.com/Utai8qxxh4
રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના સિંઘ પ્રાંતમાં શિકારપુરમાં થયો, તેમનું પૂરુ નામ રામ બૂલચંદ જેઠમલાણી હતુ. ટ્રાયલ કોર્ટ, હાઇ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં તેણે ઘણા કેસ લડ્યા. તેમનો પહેલો બહુ ચર્ચિત કેસ 1959માં આવ્યો, જ્યારે તેઓ કેએમ નાણાવટી Vs મહારાષ્ટ્ર રાજ્ય કેસના વકીલ હતા.
રામ જેઠમલાણીએ ઘણા મહત્વના કેસ લડ્યા હતા, જેમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યારોના મદ્રાસ હાઇ કોર્ટમાં 2011માં કેસ લડ્યા. આ સિવાય ઇન્દિરા ગાંધી કેસના હત્યારાઓના કેસ, ડૉની હાજી મસ્તાન અને સ્ટોક માર્કેટના ઘોટાળા કેસમાં હર્ષદ મહેતા અને કેતન પારેખનો પણ કેસ લડ્યો, તેમનો સૌથી વિવાદિત કેસ અફઝલ ગુરુની ફાંસી પર બચાવ કરવાનો હતો. આ સિવાય તેમણે જેસિકાલાલ હત્યાકાંડમાં મનુ શર્માનો કેસ લડ્યો હતો.
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હત્યારો સતવંત સિંહ અને કેહર સિંહના વકીલ તરીકે તેઓ રજૂ થયા હતા, એટલુ જ નહી તેમણે AIIMS ના ડોક્ટર અને ઇન્દિરા ગાંધીના શબનું પોર્સ્ટમોર્ટમ કરનારા ટી ડી ડોગરા દ્વારા કરવામાં આવેલા મેડિકલ પરિણામોને પણ ચેલેન્જ કરી હતી. જોકે તેમના આ કેસ પર ઘણા લોકોએ આપત્તિ દર્શાવી હતી.
વાજપેયી વિરુદ્ઘ લડી ચૂંટણી:
વર્ષ 2010માં તેમણે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. છઠ્ઠી અને સાતમી લોકસભામાં રામ જેઠમલાણી ભાજપની ટિકિટ પરથી મુંબઇના સાંસદ તરીકે પસંદગી પામ્યા. તેમણે ભાજપ સરકારમાં કેન્દ્રીય કાયદા મંત્રી અને શહેરી વિકાસ મંત્રી તરીકેની ભૂમિકા ભજવી. વર્ષ 2004માં તેમણે લખનઉથી અટલ બિહારી વાજપેયીની વિરુદ્ઘ ચૂંટણી લડી.
PM મોદીએ આપી શ્રદ્ઘાંજલિ:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ કે, ''હું પોતાને સૌભાગ્યશાળી માનું છું કે, મને રામ જેઠમલાણીજી સાથે વાતચીત કરવા માટેના અવસર મળ્યા. દુ:ખદ સમયમાં તેમના પરિવાર, દોસ્તો અને પ્રશંસકો પ્રતિ મારી સંવેદના'
In the passing away of Shri Ram Jethmalani Ji, India has lost an exceptional lawyer and iconic public figure who made rich contributions both in the Court and Parliament. He was witty, courageous and never shied away from boldly expressing himself on any subject. pic.twitter.com/8fItp9RyTk
One of the best aspects of Shri Ram Jethmalani Ji was the ability to speak his mind. And, he did so without any fear. During the dark days of the Emergency, his fortitude and fight for public liberties will be remembered. Helping the needy was an integral part of his persona.
I consider myself fortunate to have got numerous opportunities to interact with Shri Ram Jethmalani Ji. In these sad moments, my condolences to his family, friends and many admirers. He may not be here but his pioneering work will live on! Om Shanti.
રામ જેઠમલાણીની શ્રદ્ઘાંજલિ આપવા ગૃહમંત્રી અમિત શાહ તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રામ જેઠમલાણીને શ્રદ્ઘાંજલિ આપી અને નિધન પર દુખ વ્યક્ત કર્યુ. અમિત શાહે ટ્વિટ કરતા લખ્યુ કે, ''અમે એક પ્રતિષ્ઠિત વકીલની સાથે મહાન માનવ ગુમાવ્યા. તેમના પરિવાર પ્રતિ મારી સંવેદના''
Delhi: Union Home Minister Amit Shah pays last respects to veteran lawyer and former Union Minister Ram Jethmalani at the latter's residence. Ram Jethmalani passed away this morning at the age of 95. pic.twitter.com/HCKoXZOplS
Ram Jethmalani ji’s passing away is a irreparable loss to the entire legal community. He will always be remembered for his vast knowledge on legal affairs. My condolences to the bereaved family. Om Shanti Shanti Shanti.
રામ જેઠમલાણીના નિધન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુખ વ્યક્ત કર્યુ. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યુ કે, સ્વંતત્રતા પછી ભારતમાં અપરાધિક કાયદાને આકાર આપ્યો. તેમનો કાનૂની ઇતિહાસ સોનેરી અક્ષરોમાં લખવામાં આવશે.
Extremely saddened at the passing away of legendary lawyer Ram Jethmalani ji. An institution in himself, he shaped criminal law in post-independence India. His void would never be filled and his name will be written in golden words in legal history.