કોંગ્રેસના મોટા નેતાઓએ વર્કિંગ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીને પત્ર લખીને મોટા ફેરફાર કરવાની માંગ કરી છે. આ નેતાઓમાં કોંગ્રેસ કાર્યસમિતિનાં કેટલાક સદસ્યોની સાથે સાથે પૂર્વ સીએમ, કેટલાક સાંસદો અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે.
કોંગ્રેસના પાંચ પૂર્વ સીએમ અને 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર
પાર્ટીમાં મોટા પ્રમાણમાં સુધારા, સત્તામાં વિકેન્દ્રીકરણ અને દરેક સ્તર પર ચૂંટણીની માગ
હવે આ પત્રથી સાફ થઇ ગયું છે કે પાર્ટી પોતાનો સપોર્ટ બેસ ગુમાવી રહી છે અને યુવાનોનો ભરોસો પણ. મીડિયા અહેવાલ અનુસાર નેતૃત્વ પર સવાલો ઉભા કરીને આ નેતાઓએ પૂર્ણકાલીન અને પ્રભાવી નેતૃત્વની માંગ કરી છે અને જે જમીન પર ઉતરીને કામ કરી શકે. આ સિવાય CWCમાં ચૂંટણી કરાવવાની માંગ કરીને પાર્ટીને ફરીથી ઉભી કરવા માટે કોઈ યોજના બનાવવા કહ્યું છે.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીની અમુક કામગીરીથી આ નેતાઓને મુશ્કેલી છે. જેમાં તકલીફો ગણાવતા કહ્યું રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ અને પદાધિકારીઓન નક્કી કરવામાં મોડું કરવું, સન્માન ધરાવતા નેતાઓને પ્રદેશમાં મોકલવામાં નથી આવતા, રાજ્યના પ્રમુખોને સંગઠનમાં ફેરબદલ કરવાની છૂટ ન હોવી જેવી તકલીફો ગણાવી છે.
નેતાઓએ કહ્યું કે લોકતંત્ર માટે પાર્ટી મજબૂત થવી ખૂબ જરૂરી છે અને પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે એવામાં કોંગ્રેસ કમજોર પડી ગઈ છે જ્યારે દેશ સૌથી ખરાબ રાજકીય, આર્થિક અને સામાજિક સંકટથી પસાર થઇ રહ્યો છે. પાર્ટી નેતાઓ કહી રહ્યા છે કે લોકસભામા હાર્યા છતાં પાર્ટીમાં આત્મનિરીક્ષણ કરવામાં નથી આવ્યું. જોકે પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નેહરુ-ગાંધી પરિવાર પાર્ટીની ખાસ હિસ્સો છે.
સોનિયા ગાંધીને આપવામાં આવેલ આ પત્રમાં રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશી થરુર, વિવેક તનખા, મુકુલ વાસનિક અને જિતિન પ્રસાદ જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. આ સિવાય મિલિન્દ દેવડા, રેણુકા ચૌધરી, અજય સિંહ, પીજે કુરિયન, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજ બબ્બરના પણ પત્ર પર હસ્તાક્ષર છે.