કોરોના સંકટ અને લોકડાઉનના કારણે દેશના GDP માઇનસમાં ચાલી ગઇ છે. સતત બે ત્રિમાસિકમાં GDPના આંકડા ચોંકાવનારા આવે છે અને મંદીની દસ્તક સંભળાઇ રહી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ તરફથી કેન્દ્ર સરકાર પર નિશાન તાકવામાં આવ્યું છે.
ગત ત્રિમાસિકમાં GDPની ગતિ 8.6 ટકા રહેવાના રિપોર્ટને આધાર બનાવતા ચિદમ્બરમે કહ્યું કે સ્થિતિ ઘણી ચિંતાજનક છે, એવામાં સરકારને કડક પગલા લેવા જોઇએ અને આ સમય કોઇ ઉજવણી કરવાનો નથી.
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે નોટબંધી જેવા નિર્ણયોએ દેશના કરોડો લોકો પર અસર પડી અને તેનો કોઇ ફાયદો થયો નહીં. આજ દેશમાં માત્ર એક ટકા વ્યક્તિઓ પાસે કુલ જનતાની 20 ટકા કમાણી છે, એવામાં કેવી રીતે લોકોનું સારુ થશે. આજે GDP ફરી એકવાર માઇનસમાં પહોંચી છે. એવામાં જ્યારે મંદીર માથા ઉપર ડાકલા વગાડી રહી છે ત્યારે સરકારે કોઇપણ પ્રકારની ઉજવણી મનાવી જોઇએ નહીં.
પૂર્વ નાણા મંત્રીએ કહ્યું કે આ સમયે ન્યાય યોજનાની જરૂરિયાત છે, જેથી લોકોના હાથમાં રૂપિયા પહોંચી શકે. ખેડૂતોને મદદ આપવી જોઇએ, પરંતુ સરકારે નવા ખેડૂત બિલ લાવીને ખેડૂતો પર સંકટ વધારી દીધુ છે. જ્યાં સુધી આમ આદમી પાસે રૂપિયા નહીં હોય, તો ફરી અર્થવ્યવસ્થા કેવી રીતે આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક રિપોર્ટ આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો કે જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 8.6 ટકા રહ્યો છે. જો કે આ સત્તાવાર આંકડા નથી અને સરકાર દ્વારા આંકડા હજી જાહેર કરવાના છે. આ પહેલા GDP -24 ટકા સુધી ઘટ્યો હતો. કેન્દ્રનો દાવો છે કે અર્થવ્યવસ્થા ઝડપથી રિકવર કરી રહી છે.