દિલ્હીના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજકુમાર ચૌહાણે ભાજપમાં સામેલ થઇ ગયા. દેશની રાજધાનીની સાત લોકસભા સીટો પર મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ છોડી છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીની સીટથી ટિકિટ ન આપવા પર ચૌહાણ કોંગ્રેસથી નારાજ દેખાઇ રહ્યા હતા.
દિલ્હીના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજકુમાર ચૌહાણે ભાજપમાં સામેલ થઇ ગયા. દેશની રાજધાનીની સાત લોકસભા સીટો પર મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ છોડી છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીની સીટથી ટિકિટ ન આપવા પર ચૌહાણ કોંગ્રેસથી નારાજ દેખાઇ રહ્યા હતા. ઉત્તર પશ્ચિમ દિલ્હીથી પાર્ટીએ દિલ્હી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલોઠિયાને આ સીટથી ટિકિટ આપી હતી. ચૌહાણે કહ્યું, 'ઉત્તર પશ્ચિમ દિલ્હી સીટથી જે રીતે મને ટિકિટ આપવાથી ઇનકાર કરવામાં આવ્યો, તેથી જનતામાં નારાજગી હતી'.
શીલા દીક્ષિત સરકારમાં મંત્રી રહેલા ચૌહાણ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ અને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીની હાજરીમાં ભાજપમાં શામેલ થયા. તિવારીએ કહ્યું કે કોંગ્રેસ છોડવાનો ચૌહાણનો નિર્ણય પાર્ટીની નીતિઓનો 'પર્દાફાશ' કરે છે. ચૌહાણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ચૂંટણી બોર્ડ દ્વારા તૈયાર ઉમેદવારોની સૂચીમાં તેમનું નામ સામેલ છે. પરંતુ બાદમાં તેમનું નામ હટાવી દેવાયું.
ચૌહાણ વર્ષ 1993થી ચાર વાર મંગોલપુરથી વિધાયક રહી ચુક્યા છે. તેમણે 2013 અને 2015 વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીની રાખી બિડલાનને હરાવી હતી. ભાજપા સૂત્રોએ કહ્યું કે ચૌહાણ પોતાના સમર્થકોના વોટ પાર્ટીમાં લાવી લોકસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.
ચૌહાણનો આરોપ છે કે કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે, તથા એમણે કોંગ્રેસની દિલ્હી પ્રમુખ શીલા દીક્ષિતની વધતી ઉંમરને કારણે 'સ્મૃતિ લોપ' હવાલો આપતા તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. બીજી તરફ દિલ્હી કોંગ્રેસના પ્રવક્તા જિતેન્દ્ર કોચ્ચરે કહ્યું કે ચૌહાણ પાર્ટીના મહત્વપૂર્ણ નેતા છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે ભાજપમાં સામેલ થઇ ગયા.