રેલ મંત્રી (Minister of Railways) અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav)એ સંસદમાં સીનિયર સિટીઝનને મળતા રેલના ભાડામાં છૂટ આપવાને લઈને જાણકારી આપી છે.
લોકડાઉન વખતે રેલવેએ પરત લીધી હતી દરેક છુટ
હવે ફરી શરૂ કરવા અંગે આપ્યું આ નિવેદન
જાણો વરિષ્ઠ નાગરિકોને ફરી મળશે છુટ?
વરિષ્ઠ નાગરિકો (Senior Citizens)ને રેલ યાત્રામાં વર્ષોથી છુટ મળી રહી હતી. પરંતુ કોરોના સંક્રમણ બાદ થયેલા લોકડાઉનનો હવાલો આપતા રેલવે (Ministry of Railways)એ આ છુટ પરત લઈ લીધી હતી. હવે રેલમંત્રી (Railway Minister)એ ભાડામાં છૂટ (Railway Concession) વિશે મહત્વની વાત કહી છે.
વરિષ્ઠ નાગરિકોને મળશે ભાડામાં છૂટ?
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ટિકિટ ભાડામાં અમુક શ્રેણિઓમાં લોકોને આપેલી છુટને ફરી શરૂ કરવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી કર્યો. રેલમંત્રીએ જણાવ્યું કે કોવિડને ધ્યાનમાં રાખીને દરેક શ્રેણીઓના યાત્રીઓ માટે આપવામાં આવતી છુટને પરત લેવામાં આવી હતી. હવે તેને ફરી શરૂ કરવા પર હાલ કોઈ વિચાર નથી કરવામાં આવ્યો.
કોરોના કાળમાં છુટ પરત લેવામાં આવી હતી
કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. તેના પહેલા 20 માર્ચ, 2020થી બીજા આદેશ સુધી રેલ ભાડા પર છુટ પરત લેવામાં આવી હતી. જોકે દિવ્યાંગ લોકોની ચાર શ્રેણિઓ, રોગિયો અને વિદ્યાર્થીઓની 11 શ્રેણીઓને પણ છુટ મળી રહી છે.
સીનિયર સિટીઝનને કેમ મળે છે છુટ?
મહત્વનું છે કે ઈન્ડિયન રેલવેની દરેક ટ્રેનોમાં સીનિયર સિટીઝનને કોરોના પહેલા ટિકિટો પર 50 ટકાની છુટ મળતી હતી. તમને જણાવી દઈએ કે 60થી વધારે ઉંમરના પુરુષ અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને રેલવેમાં સીનિયર સિટીઝનની કેટેગરીમાં રાખવામાં આવે છે. કોરોના કાળ પહેલા સુધી રાજધાની, શતાબ્દી, દુરંતો સહિત દરેક મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં પુરૂષોને બેસ ફેરમાં 40 ટકા અને મહિલાઓને બેસ ફેરમાં 50 ટકાની છુટ આપવામાં આવે છે.