સિનિયર સિટિઝનને પણ બેંકિંગ સુવિધાઓનો લાભ મળી શકે એ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડોર-સ્ટેપ જેવી ઘણી વિશેષ સુવિધાઓ આપે છે.
જોકે ઘણીવાર માહિતીના અભાવને લીધે વરિષ્ઠ નાગરિકો આ સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને ઘણા અધિકારો પણ આપ્યા છે. તો ચાલો આજે આ સુવિધાઓ વિશે જાણીએ.
- દરેક બેંકમાં સિનિઇર સિટિઝન અને વિકલાંગ લોકો માટે અલગથી વિશેષ કાઉન્ટર્સ હોવાં જોઈએ. જો કોઈ બેંકની બ્રાન્ચમાં એ નથી તો કોઈપણ સિનિયર સિટિઝન સીધા બ્રાન્ચ મેનેજરને મળીને પોતાના માટે આ વિશેષ સુવિધાની માગ કરી શકે છે. આ તેમનો અધિકાર છે.
- નો યોર કસ્ટમર (KYC) જોગવાઈઓ પૂરી થયા પછી જન્મ તારીખના આધારે બેંક અકાઉન્ટ આપમેળે જ 'સિનિયર સિટિઝન અકાઉન્ટ'માં ફેરવાઈ જાય છે. આ અકાઉન્ટ ખોલવા માટે અલગથી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર હોતી નથી. આ ખાતા પર સિનિયર સિટિઝનને મળતી તમામ સુવિધાઓનો લાભ ઉઠાવી શકાય છે.
- 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને અથવા ગંભીર રૂપે બીમાર રહેતા સિનિયર સિટિઝનને બેંક તેમના ઘર સુધી મૂળભૂત બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. આ સુવિધાઓમાં કેશ ટ્રાન્ઝેક્શન, ડિમાન્ડ ડ્રાફ્ટ, KYC ડોક્યુમેન્ટ અને લાઇફ સર્ટિફિકેટ લેવા જેવી ઘણી સેવાઓ શામેલ છે.
- આ ઉપરાંત, સિનિયર સિટિઝને ચેક બુક મેળવવા માટે પણ બેંકમાં જવાની જરૂર નથી. જો તે ઇચ્છે તો બેંક તેમની ચેક બુક ઘેર પહોંચાડી શકે છે. જોકે, આ બધી ફેસિલિટી માટે વિવિધ બેંક તરફથી અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે.