કેન્દ્ર સરકાર દ્વારા દેશના વરિષ્ઠ નાગરિકો માટે કેટલીક ખાસ સ્કીમ ચલાવવામાં આવે છે. જેમાં પૈસા લગાવીને રિટાયરમેન્ટ બાદ દર મહિને કમાણી કરી શકાય છે. આ સ્કીમમાં 7.4 ટકા વ્યાજ મળે છે. જાણી લો.
સિનિયર સિટીઝન્સ માટે સારાં સમાચાર
આ સરકારી યોજનાઓમાં રિટાયરમેન્ટ બાદ દર મહિને થશે કમાણી
આ સ્કીમ સુરક્ષિત હોવાની સાથે સારું રિટર્ન આપે છે
તમને જણાવી દઈએ કે રોકાણકારો પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના (એસસીએસએસ), પીએમ વય વંદન યોજના (પીએમવીવીવાય) અને પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)માં રોકાણ કરી શકે છે. આ ત્રણેય યોજનાઓ સુરક્ષિત છે. આ સાથે તમને તેમાં વ્યાજનો લાભ પણ મળશે.
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS)
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.4% વ્યાજ મળે છે. આ બચત યોજનાની અવધિ 5 વર્ષ છે. વરિષ્ઠ નાગરિકો એસસીએસએસમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજના એવા વરિષ્ઠ નાગરિકો માટે છે કે જેઓ તેમના રોકાણ પર વધુ વળતર મેળવવા માંગે છે. આ યોજનામાં, ત્રિમાસિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ યોજનામાં 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો એકાઉન્ટ ખોલાવી શકે છે.
પીએમ વય વંદન યોજના (PMVVY)
જીવન વીમા નિગમ (એલઆઈસી) દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી વય વંદન યોજના (પીએમવીવીવાય) એ રિટાયરમેન્ટ બાદની પેન્શન યોજના છે. વરિષ્ઠ નાગરિકો આ યોજનાનો લાભ 31 માર્ચ, 2023 સુધી મેળવી શકે છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.4% દરે પેન્શન મળે છે, જે દર મહિને ચૂકવવામાં આવે છે. તેની અવધિ 10 વર્ષ છે. આ યોજનામાં મિનિમમ એન્ટ્રી એજ 60 વર્ષ છે, મેક્સિમમ એન્ટ્રી એજ માટે કોઈ નિયમ નથી. આ પોલિસીમાં લોનની સુવિધા પણ મળે છે.
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) એ 5 વર્ષની અવધિની માસિક આવક યોજના છે. આ યોજનામાં એકવાર રોકાણ કર્યા પછી 5 વર્ષ માટે એટલે કે મેચ્યોરિટી સુધી સમાન દરે વ્યાજ મળે છે. હાલમાં વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ વાર્ષિક 6.6% વ્યાજ મળી રહ્યું છે.