સરકારે ગયા વર્ષે બજેટમાં ટેક્સના નિયમોમાં ઘણાં મોટા ફેરફાર કર્યા હતા. આ ફેરફાર હેઠળ સરકારે એક નવા સેક્શન 80TTB સામેલ કર્યો હતો. જેમાં સીનિયર સિટીઝન માટે 50,000 રૂપિયા સુધી વ્યાજની ઈન્કમ પર ટેક્સમાં છૂટ મળે છે. એટલે કે, FD, રેકરિંગ ડિપોઝિટ અથવા સેવિંગ્સ એકાઉન્ટથી જો કોઈ વ્યાજ મળે છે તો 50,000 રૂપિયા સુધી કોઈ ટેક્સ આપવો નહીં પડે.
સરકારે ટેક્સ નિયમોમાં કર્યા ફરેફાર
સીનિયર સિટીઝન માટે સરકારની ખાસ સ્કીમ
આટલી ઈન્કમ પર નહીં લાગે ટેક્સ
પણ જો કોઈ સીનિયર સિટીઝન 80TTB હેઠળ ટેક્સ છૂટનો ફાયદો લે છે, તો 80TTA હેઠળ તેને કોઈ ફાયદો નહીં મળે. 80TTBનો ફાયદો માત્ર સીનિયર સિટીઝનને મળશે. અન્ય ટેક્સપેયર્સ અથવા HUFને ટેક્સમાં કોઈ છૂટ નહીં મળે. સામાન્ય રીતે 80TTA હેઠળ કોઈ પણ ટેક્સપેયર્સને 10,000 રૂપિયા સુધી વ્યાજની ઈન્કમ પર છૂટનો ફાયદો મળે છે.
80TTB અને 80TTAમાં અંતર શું છે?
80TTA
આ બધાં જ ટેક્સપેયર્સ માટે છે. જો સીનિયર સિટીઝન 80TTB પસંદ કરે છે તો તેને 80TTAનો ફાયદો નહીં મળે્. આમાં વધુમાં વધુ 10,000 રૂપિયા સુધી વ્યાજની ઈન્કમ પર ટેક્સમાં છૂટ મળશે. સાથે જ પોસ્ટ ઓફિસ અને સેવિંગ્સ એકાઉન્ટથી થતી વ્યાજની ઈન્કમ પર પણ છૂટ મળશે.
80TTB
આ સ્કીમ માત્ર સીનિયર સિટીઝન માટે છે. તેમાં મેક્સિમમ 50,000 રૂપિયા સુધી વ્યાજ ઈન્કમ પર છૂટ મળશે. FD, રેકરિંગ, ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટથી થતી વ્યાજની ઈન્કમ પરપણ છૂટ મળશે.