બસચાલકની ઓવરસ્પીડને કારણે અકસ્માત થયો હોવાની વાતને કારણે અમદાવાદીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જનાક્રોશને પગલે BRTS ઉપર પથ્થર મારો, કરવામાં આવ્યો હતો અને તોડ ફોડ પણ કરવામાં આવી હતી. ત્યાં ઘટના વખતે ઉપસ્થિત લોકોએ તો બસને આગ લગાવી દો, તોડ ફોડ કરી નાંખોના નારા પણ લગાવ્યા હતા.
સિનિયર સિટિજન કાકાએ કહ્યુ કે આ બાળકોના પરિવારનું શું?
ડ્રાઈવર કરે છે દાદાગીરીઃ સિનિયર સિટિજન
સ્થાનિકોમાં રોશ ફાટી નીકળ્યો
BRTS અકસ્માત મામલે અમદાવાદીઓનો જનાક્રોશ ફાટી નીકળ્યો છે. વહેલી સવારે BRTSએ બે સગા ભાઈઓને કચડી માર્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં રોશ ફાટી નીકળ્યો હતો. મૃતકોના પરિવારજનોના આક્રોશને પગલે તંત્ર દોડતુ થયુ હતુ.
સિનિયર સિટિજન કાકાએ કહ્યુ કે આ બાળકોના પરિવારનું શું?
આ બાળકોનું શું? આનું ભવિષ્ય શું? ડ્રાઈવર ભાગી ગયો હવે બીજા અકસ્માત કરશે. સીએમ વિજય રૂપાણીએ આ અંગે પગલા લેવા જોઈએ. આ બાળકોના માતા-પિતાનું શું?. કોણ છે જવાબદાર? પ્રજા જાગે અને ડ્રાઈવરને પકડો અને તેને પોલીસ સમક્ષ રજૂ કરે તો કંઈ થાય?
ડ્રાઈવરની દાદાગીરી
બસના જ મુસાફરોએ ડ્રાઈવરની દાદાગીર મુદ્દે કહ્યુ હતુ કે, જો BRTS બસ ચાલકોને બસ ધીમી ચલાવવા કહીએ છીએ તો તેમનો જવાબ હોય છે કે, બસ ધીમી નહીં ચાલે, તકલીફ હોય તો રીક્ષામાં જાઓ.