આજકાલ ખોટા ન્યુઝ વાયુગતિએ ફેલાય છે ત્યારે કોઈ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેલ્વેમાં હવે સીનીયર સિટિઝન્સને ટીકીટ પર ડિસ્કાઉન્ટ મળશે પરંતુ આ બિલકુલ ખોટું છે.
રેલવેના નિયમોમાં ઘણા બદલાવ
સીનીયર સીટીજનો માટે હાલ કોઈ લાભ નહી
લોકોએ ફેક ન્યુઝ ફેલાવ્યા
રેલ્વેના નિયમો હળવા થયા
વૈશ્વિક મહામારી કોરોના કાળમાં રેલવેએ ઘણી સેવાઓ બંધ કરી દીધી હતી. પરંતુ હવે પરિસ્થિતિ પાટા પર આવી જતા રેલવે આ સેવાઓને પાછી ખેંચી રહી છે. ઉદાહરણ તરીકે મોટાભાગની ટ્રેનોમાં બ્લેન્કેટ અને બેડરોલની સુવિધા ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જનરલ ડબ્બાની ટિકિટ પણ હવે મળવા લાગી છે. પરંતુ મુસાફરો માટે સૌથી વધુ રાહ તો સિનિયર સિટીઝનની મળતી રાહત છે , જેને લઈને ઘણા બધા સમાચાર આવતા રહેતા હોય છે.
વરિષ્ઠ નાગરિકોને મળશે રાહત
હકીકતમાં કોરોના કાળ પહેલા ટ્રેનોમાં સિનિયર સિટીઝનને ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળતું હતું, જે હાલ બંધ છે. પરંતુ એક સમાચારના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જુલાઈ, 2022 થી ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટ ફરી એકવાર પુન ચાલુ કરવામાં આવશે. આ મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ખોટા સમાચાર
પરંતુ તમને જણાવી દઈએ કે આ સમાચાર એકદમ ફેક ન્યૂઝ છે, કારણ કે અત્યાર સુધી રેલવે તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પીઆઇબી ફેક્ટ ચેકે તેની તપાસ કર્યા બાદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
A #Fake media report is claiming that the Indian Railways will resume concessions for senior citizens from July 1, 2022
▶️ No such announcement has been made by @RailMinIndia
▶️ Indian Railways is currently providing concessions to divyangjans, patients & students only pic.twitter.com/ePoctCRu3A
પીઆઈબીએ માહિતી આપી છે
પીઆઈબી ફેક્ટ ચેકે એક ટ્વીટમાં કહ્યું, "એક નકલી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલવે 1 જુલાઈ, 2022 થી વરિષ્ઠ નાગરિકો માટે છૂટછાટો ફરીથી શરૂ કરશે. હાલમાં ભારતીય રેલવે દ્વારા માત્ર દિવ્યાંગજનો, દર્દીઓ અને વિદ્યાર્થીઓને જ છૂટછાટ આપવામાં આવી રહી છે."
તમને જણાવી દઈએ કે સરકાર વારંવાર અપીલ કરે છે કે જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ખોટા સમાચારોમાં વિશ્વાસ ન કરો.