ભાજપના સિનિયર નેતા ઉમા ભારતીએ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહની સરકારને ચેતવણી આપતા કહ્યું કે 15 જાન્યુઆરી સુધીમાં તે દારૂબંધી લાગૂ કરે, નહી તો તેઓ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે.
ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીની MP સરકારને ચેતવણી
15 જાન્યુંઆરી સુધીમાં દારૂબંધી લાગૂ કરવા માટે આપી ચેતવણી
દારૂબંધી નહી થાય તો રસ્તા પર ઉતરીને ઉમા ભારતી આંદોલન કરશે
बी.डी. शर्मा और शिवराज सिंह ने कहा कि जागरुकता अभियान से शराबबंदी होनी चाहिए। मेरा मानना है कि यह जागरुकता से नहीं लठ्ठ से ही खत्म होता है... मैं उनको 15 जनवरी तक का समय देती हूं, तब तक हम जागरुकता अभियान चलाएंगे। उसके बाद अभियान का नेतृत्व करने मैं सड़क पर उतर जाऊंगी: उमा भारती pic.twitter.com/j1roo5Nzfc
ભાજપની વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશની પૂર્વ સીએમ રહી ચુકેલ ઉભા ભારતીએ મધ્યપ્રદેશ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉભા ભારતીએ 15 જાન્યુઆરી સુઘીમાં MPમાં દારૂબંધી લાગૂ કરવા માટે ચેતવણી આપી છે. સાથેજ તેમણે એવુ CM શિવરાજ સિંહને ચેતવણી આફતા કહ્યું કે જો દારૂબંધી લાગૂ કરવામાં નહી આવે તો તે રસ્તા પર ઉતરીને આંદોલન કરશે.
15 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવશે
ગત શનિવારે ઉભા ભારતીએ મીડિયા કર્મીઓ સામે કહ્યું કે તેઓ 15 જાન્યુઆરી સુધી મધ્યપ્રદેશમાં દારૂબંધીનું અભિયાન ચલાવશે. જોકે તેમણે એવું પણ કહ્યું કે અમારુ આ અભિયાન શાંતીપૂર્ણ રીતે ચાલશે.
મહેસૂલ વસૂલાતના સરકાર બીજા રસ્તા શોધે : ઉમા ભારતી
સમગ્ર મામલે તેમણે કહ્યું રાજ્યમાં સરકાર દ્વારા દારૂબંધી લાગૂ કરી શકાય છે. સાથેજ તેમણે એવું પણ કહ્યુ કે સરકાર મહેસૂલ વસૂલાતના બિજા રસ્તાઓ પણ શોધી શકે છે. આ ઉપરાંત તેમણે ટ્વીટ કરીને એવું પણ કહ્યું મધ્યપ્રદેશના સીએમ શીવરાજ સિંહ અને ભાજપ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા બંને દારૂબંધીને સમર્થન આપે છે. જેથી મધ્યપ્રદેશમાં દારૂબંધી શક્ય છે.
દુષ્કર્મ અને છેડતીના બનાવો પાછળ દારૂ જવાબદાર: ઉમા ભારતી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ઉમાભારતીએ એવું કહ્યું છે કે સરકાર દ્વારા કડક કાયદો અને મહિલાઓના શક્તિશાળી અભિયાન દ્વારાજ દારૂબંધી કરી શકાશે. સાથેજ તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં દુષ્કર્મ, છેડતી જેવી ઘટનાઓ માટે પણ દારૂનું સેવન જવાબદાર છે. કારણકે દારૂ પિનારા રસ્તા પર ખુલ્લેઆમ ફરે છે. ત્યારે મહિલાઓ પોતાને સુરક્ષિત નથી અનુભવતી. જેથી દારૂબંધી હવે રાજ્યમાં જરૂરી છે.