દિલીપ સંઘાણીએ પ્રાઇવેટ બેન્કોને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચડવા RBIની ગાઈડ લાઈનને ખોટી ગણાવી આવી દેશને આર્થિક તારાજી તરફ લઈ જવાના પ્રયાસ થઇ રહ્યા હોવાનું જણાવ્યું
દિલીપ સંઘાણીએ RBIની ગાઈડલાઈનને ખોટી ગણાવી
દેશને આર્થિક તારાજી તરફ લઈ જવાના પ્રયાસ : સંઘાણી
સહકારી માળખું તોડી નાખવાના પ્રયાસ સમાન : સંઘાણી
સ્ટેટ કોઓપરેટિવ બેંકો અને જિલ્લા કેન્દ્રીય કો ઓપરેટિવ બેંકોને કેન્દ્રીય બેંક આરબીઆઈના અંડરમાં લાવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદોનો વિરોધ જોવા મળી રહ્યો છે નેશનલ કો. ઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયાના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે સહકારી બેન્કોના વિકાસને બ્રેક મારવાનું કામ RBI કરી રહી છે અને એટલે જ સમગ્ર દેશમાં આ ગાઈડલાઈનનો વિરોધ થઇ રહ્યો છે.
દિલીપ સંઘાણીએ RBIની ગાઈડલાઈનને ખોટી ગણાવી
ગુજરાતની સહકારી બેંકો સાથે સંકળાયેલ અને સમગ્ર ભારતની સહકારી બેન્કોના પ્રતિનિધિ મંડળના સભ્ય દિલીપ સંઘાણીએ બેંકોને મર્જ કરવાના નિર્યણને સહકારી માળખું તોડી નાખવાના પ્રયાસ સમાન ગણાવ્યો છે તેમજ ગુજરાતની એકપણ સહકારી મંડળીઓ કે ડિસ્ટ્રીક્ટ બેંકો, સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં જોડાશે નહી તેવું જણાવ્યું છે. દિલીપ સંઘાણીએ પ્રાઇવેટ બેન્કોને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચડવા RBIની ગાઈડ લાઈનને ખોટી ગણાવી આવી દેશને આર્થિક તારાજી તરફ લઈ જવાના પ્રયાસ થઇ રહ્યા હોવાનું જણાવ્યું છે.
બેન્કોના મર્જ માટે RBIની મંજૂરી આવશ્યક
મહત્વનું છે કે આ બેંકિગ રેગ્યુલેશન એક્ટ 2020 ને કો.ઓપરેટિવ બેંકો માટે 1 એપ્રિલ, 2021 થી લાગુ કરવામાં આવ્યો છે આવી બેંકોના મર્જ માટે RBIની મંજૂરીની આવશ્યકતા છે. RBIની માર્ગદર્શિકાઓ મુજબ બેંક મર્જરની યોજનાઓને શેરહોલ્ડર્સની વચ્ચે બહુમતિથી એપ્રુવલ કરાવવું જરૂરી છે. આ સાથે જ નાબાર્ડને રાજ્ય સરકારના પ્રસ્તાવની તપાસવાને ભલામણ કરવાનું, RBIની માર્ગદર્શિકાઓ મુજબ નાબાર્ડની પરામર્શથી સ્ટેટ કો.ઓપરેટિવ અને જિલ્લા કો.ઓપરેટિવ બેંકોના મર્જ માટેના પ્રસ્તાવને રિઝર્વ બેંક દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી બે તબક્કામાં સેક્શન અને એપ્રુવલ આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.