ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું છે. છાતીમાં દુઃખાવો થતા તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા. તેઓ 67 વર્ષના હતા.
સુષમા સ્વરાજ એક ભારતીય મહિલા રાજકારણી અને ભારતના વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા. તેઓ વર્ષ 2001માં ભાજપ દ્વારા સંસદમાં વિપક્ષના નેતા તરીકે નિમાયા હતા, જેથી તેઓ ભારતની પંદરમી લોકસભામાં પ્રતિપક્ષના નેતા રહી ચૂક્યા હતા. આ પહેલા તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં રહી ચૂક્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા. તેઓ વર્ષ 2001ની લોકસભા ચૂંટણી માટે ભાજપના 19 સદસ્ય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. 67 વર્ષની ઉંમરે 6 ઓગસ્ટ, 2019ની રાત્રે 11 કલાકે તેમનું દિલ્હીમાં નિધન થયું છે.
સુષમા સ્વરાજની સફર
અંબાલા છાવણીમાં 14 ફેબ્રુઆરી 1952માં જન્મેલ સુષમા સ્વરાજે એસ.ડી કોલેજમાં બીએ અને પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢમાં વકીલની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ કર્યા બાદ તેમણે પહેલા જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો હતો. ઇમરજન્સીનો ભારે વિરોધ કર્યાબાદ તેઓ સક્રિય રાજનીતિથી જોડાયા હતા. વર્ષ 2014માં તેમને ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. જ્યારે આ પહેલા ઇન્દિરા ગાંધી કામચલાઉ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. કેબિનટમાં તેમને સામેલ કરીને તેમના કદ અને કાબિલિયતને સ્વિકારી હતી. તેઓ દિલ્હીની પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશમાં કોઇ રાજકિય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બન્યા હતા.
એક સમયના ભાજપના પ્રધાનમંત્રી પદના દાવેદાર હતા. ભાજપના સ્થાપક નેતાઓમાંના એક હતા સુષ્મા. તેમણે ABVPથી રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા. વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. UPA 2 સરકાર દરમિયાન વિરોધ પક્ષના નેતા હતા. સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ ભાજપના નેતા હતા. જયપ્રકાશ નારાયણ આંદોલનમાં તેઓ સક્રિય હતા.
તેમની ઉપલબ્ધિઓ
1977માં તેઓ દેશના પ્રથમ કેન્દ્રિય મંત્રીમંડળના સભ્ય બન્યા હતા, તે પણ 24 વર્ષની ઉંમરે
1971માં 27 વર્ષની ઉંમરે તેઓ જનતા પાર્ટી, હરિયાણાના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા
સ્વરાજ ભારતની કોઇ રાષ્ટ્રીય રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બન્યા હતા
આ સિવાય પણ તેઓ ભાજપના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, મહાસચિવ, વિપક્ષના નેતા બન્યા હતા.
ઈંદિરા બાદ દેશના દ્વિતિય મહિલા વિદેશમંત્રી હતા
તેઓ ભારતીય સંસદના પ્રથમ એક માત્ર મહિલા સભ્ય હતા જેઓ આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયનનું સમ્માન મળ્યું હતું. તેમને ચાર રાજ્યોથી 11 વખત સીધા ચૂંટણી લડ્યા હતા.
2019માં ચૂંટણી ન હોતા લડ્યા
સુષ્મા સ્વરાજ ભાજપના સ્થાપક નેતાઓમાંના એક હતા. વાજયેપી કાળમાં ટોચના મહિલા નેતા અને પહેલી મોદી સરકારમાં વિદેશ મંત્રી હતા. તેઓ સુષમા સ્વરાજ ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. ત્યારે 2019માં તબીયતને ધ્યાને લઈને સુષમા ચૂંટણી ન હોતા લડ્યા.