મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ નારાયણ સારંગનું શનિવારે નિધન થયું. લાંબા સમયની બીમારી બાદ તેમની તબિયત વધારે બગડતાં તેમને એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ અચાનક તબિયત બગડતાં તેમનું નિધન થયું હતું. તેમના નિધનને લઈને પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી.
ભાજપના કાર્યકર કૈલાસ સારંગનું નિધન
પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના
લાંબી બીમારી બાદ મુંબઈમાં થયું નિધન
પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના
કૈલાસ ભાજપના નેતા અને શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી વિશ્વાસ સારંગના પિતા હતા. વિશ્વાસ શિવરાજ સરકારમાં ચિકિત્સા મંત્રી છે. તેઓએ પીએેમ મોદી પર નરેન્દ્ર સે નરેન્દ્ર નામનું પુસ્તક લખ્યું હતું. તેમના નિધન પર પીએમ મોદીએ સંવેદના પ્રકટ કરી છે. તેઓએ કહ્યું કે મધ્યપ્રદેશના વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેતા. તેમના મોતથી દુઃખી છું. તેઓને હંમેશા એક મહેનતી અને જવાબદારી નેતાની રીતે યાદ રખાશે.
.@BJP4India के हम सभी कार्यकर्ताओं के मार्गदर्शक, मुझे पिता समान स्नेह, प्यार और आशीर्वाद देने वाले हमारे प्रिय बाबूजी श्रद्धेय कैलाश सारंग जी का देवलोकगमन आज हुआ है।
કૈલાસ નારાયણનું નિધનને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે સારંગનું પાર્થિવ શરીર મુંબઈથી રવિવારે 9 વાગે ભોપાલ લવાઆશે અને સાથે તેમને લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 2.30 વાગે તેમના પાર્થિવ શરીરને ભાજપના કાર્યાલય પર લવાશે. આ પછી 4 વાગે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
श्रद्धेय श्री कैलाश सारंग @BJP4MP के आधार स्तंभ थे।
संगठन की जड़ों को मज़बूती देने में उनका अतुलनीय योगदान रहा है।
उन्होंने अपना सम्पूर्ण जीवन भारतीय जनसंघ, @BJP4India और @RSSorg के माध्यम से गरीबों की सेवा में न्योछावर किया। मेरे जैसे लाखों कार्यकर्ताओं को उन्होंने तैयार किया। pic.twitter.com/WYzgAqCieF
મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ટ્વિટર પર પાઠવી શ્રદ્ધાંજિલ
કૈલાસ સારંગના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં દુઃખની લહેર છવાઈ છે. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ટ્વિટર પર અનેક ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેઓએ લખ્યું કે અમને દરેક કાર્યકર્તાઓને તેમનું માર્ગદર્શન મળ્યું છે. તે મારા પિતા સમાન હતા. તેમનો સ્નેહ, પ્રેમ અને આર્શીવાદ અમારા માટે મહત્વના છે. શ્રદ્ધેય કૈલાસ સારંગનું આજે નિધન થયુ છે અને હ્રદય વ્યથિત છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
पितृ तुल्य, श्रद्धेय कैलाश सारंग जी ने अपने जीवन का एक-एक क्षण जनसेवा और प्रदेश की उन्नति के लिए समर्पित कर दिया था।
उनके बिना मध्यप्रदेश स्वयं को सदैव अधूरा महसूस करेगा।
ईश्वर उन्हें अपने श्री चरणों में स्थान और परिजनों को यह दु:ख सहन करने की शक्ति प्रदान करें। ॐ शांति!
માનનીય કૈલાસ સારંગના રૂપમાં જનસંઘ અને ભાજપનો મોટો આધાર સ્તંભ ખોવ્યો છે. વ્યક્તિગત અને દરેક સમયે તેઓ માર્ગદર્શન આપનારા રહ્યા છે. તેમના જવાથી મધ્યપ્રદેશની રાજનીતિમાં વિશાળ શૂન્ય સર્જાયો છે. પિતા તુલ્ય કૈલાસ સારંગે તેમનું જીવન પ્રદેશની ઉન્નતિ માટે સમર્પિત કર્યું છે. ઈશ્વર તેમને શ્રી ચરણોમાં સ્થાન અને પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.