બૉલીવુડના દિવસો આજકાલ સારા નથી ચાલી રહ્યા. એક તરફ બૉલીવુડ ફિલ્મો ફ્લોપ થઈ રહી છે અને બીજી તરફ સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ફિલ્મો બૉયકોટના ટ્રેન્ડ થી એક્ટર્સ અને ફિલ્મમેકર્સ પરેશાન છે. એ વચ્ચે સુપરસ્ટાર અક્ષય કુમારની લગાતાર ત્રીજી ફિલ્મ ફ્લૉપ થઈ છે. હવે તેની આવનારી ફિલ્મ 'રામ-સેતુ' રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાઈ રહી છે.
ફિલ્મ પર ભડક્યા સુબ્રમણ્યમ સ્વામી
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી બૉલીવુડની આ ફિલ્મ પર ભડક્યા છે. ફિલ્મ રામ સેતુ ના એક પોસ્ટર સામે સુબ્રમણ્યમ સ્વામી એક યાચિકા પર આપવામાં આવેલ સુપ્રીમ કોર્ટના ઓર્ડરની કોપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને કારણે બીજેપી નેતા ફિલ્મ પર ભડક્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ પહેલા પણ અક્ષય કુમાર સામે સેફ ફાઇલ કરવાની ધમકી આપી હતી. હાલ એમને તેમના વકીલ દ્વારા અક્ષય કુમાર સહિત ફિલ્મથી જોડાયેલ 8 લોકોને લીગલ નોટિસ આપી દીધી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું ટ્વિટ
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતાં કહ્યું હતું કે, 'મુંબઈમાં સીનેમાવાળા લોકોને ખોટી માહિતી દેખાડવાની આદત પડી ગઈ છે. એટલા માટે જ એમને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે જાણકારી આપવા માટે મેં મારા વકીલ દ્વારા અક્ષય કુમાર અને ફિલ્મના બીજા 8 લોકોને લીગલ નોટિસ મોકલી દીધી છે.'
Mumbai cinema [or is it sin-e-ma] wallas have a bad habit of falsifying and misappropriation. Hence to teach them Intellectual Property Rights, I have through Satya Sabharwal Adv issued Legal Notice to Cine Actor Akshay Kumar(Bhatia) and his 8 others for distorting Ram Setu saga.
કયા વિષય પર છે ફિલ્મ?
તમને જણાવી દઈએ કે ફિલ્મ રામ સેતુમાં અક્ષય કુમાર એક પૂરાતત્વવેતા એટલે કે આર્કીઓલોજિસ્ટની ભૂમિકા નિભાવતા નજર આવશે અને એ વાતની જાંચ કરશે કે રામ સેતુ પ્રાકૃતિક છે કે માનવ નિર્મિત. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જેક્લીન અને નુસરત ભરુચા નજર આવશે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક શર્મા છે અને આ ફિલ્મ 24 ઓકટોબરના રોજ રિલીઝ થશે.