યુપીના લખીમપુર ખીરીમાં વીજળી વિભાગના જુનિયર એન્જિનિયરના પાપનો ભોગ એક લાઈનમેનને બનવું પડ્યું છે.
યુપીના લખીમપુર ખીરીની આઘાતજનક ઘટના
વીજળી વિભાગના લાઈનમેનને જોઈતી હતી બદલી
જુનિયર એન્જિનિયરે માગ મૂકી,તારી પત્નીને મારી પાસે મોકલ
વારંવારની અશ્લીલ માગથી તંગ આવેલા લાઈનમેને કર્યો આત્મદાહ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત
ઉત્તર પ્રદેશ (યુપી)ના લખીમપુર ખેરીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં વીજ વિભાગમાં ફરજ બજાવતા એક લાઈનમેને જેઈના ત્રાસથી કંટાળીને પોતાને આગ ચાંપી દીધી હતી. લખનૌમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. લાઈનમેનના મોત પહેલા વીડિયો મળતા જ ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે વિદ્યુત વિભાગને જેઈને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે અને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.
પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપો
માહિતી અનુસાર, પાલિયા વિસ્તારના બમનગર વિસ્તારમાં રહેતા રામાઉતરનો 45 વર્ષીય પુત્ર ગોકુલ પ્રસાદ ગોલાના કુકરા ખાતે લાઇનમેન તરીકે તૈનાત હતો. છેલ્લા 22 વર્ષથી તે વીજળી વિભાગમાં કામ કરતો હતો. આરોપી જેઈ સતત તેની બદલી કરતો હતો. આ ઘટનાક્રમ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, જુનિયર એન્જિનિયર ટ્રાન્સફર અટકાવવા માટે પૈસાની માંગણી કરતો હતો અને તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ ગોકુલની પત્નીએ જણાવ્યું હતું કે, જેઈના કારણે તેનો પતિ તણાવમાં હતો, તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ક્યાંય સુનાવણી થઈ ન હતી.
જો તમારે ટ્રાન્સફર જોઈતી હોય તો તમારી પત્નીને મારી પાસે મોકલો."
મૃત્યુ પહેલા લાઈનમેને જેઈ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. લાઈનમેને વીડિયોમાં જણાવ્યું હતું કે જેઈ અને તેના દલાલો ટ્રાન્સફરના બદલામાં મારી પત્નીની માગણી કરી રહ્યા છે. મેં નંબર સાથે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ કંઈ થયું નહીં. એસએસપી સંજીવ સુમને સોમવારે જણાવ્યું હતું કે, "લખનઉમાં આત્મહત્યા કરનાર એક લાઇનમેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લાઇનમેનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક વરિષ્ઠ પર આરોપ લગાવી રહ્યો હતો."