શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત એક તંત્રી લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે લૉકડાઉન દરમ્યાન પોતાના વતન ગયેલા શ્રમિકોમાંથી લગભગ 1.50 લાખ શ્રમિકો મહારાષ્ટ્ર પરત આવી ગયા છે કારણ કે ત્યાં તેમની પાસે કોઈ કામ નથી.
યુપી બિહારમાં સ્માર્ટ શહેર બનાવવા સલાહ
યુપી બિહારમાં રોજગારી પેદા કરવી પડશે
મુંબઈ અને પૂણે પર બોજ વધી રહ્યો છે : શિવસેના
મુંબઈમાં ભીડ ઓછી કરવાના સંબંધે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટિપ્પણી પણ નિશાનો સાધતા શિવસેનાએ સોમવારે કહ્યું કે જો ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂણે અને મુંબઈ જેવા સ્માર્ટ શહેર બનાવી લેવામાં આવે તો દેશની આર્થિક રાજધાનીની જનસંખ્યાની ઘનતા આપોઆપ ઓછી થઈ જશે.
શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત એક તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો છે કે લૉકડાઉન દરમ્યાન પોતાના વતન ગયેલા 1.50 લાખ પ્રવાસી શ્રમિકો પરત આવી ગયા છે કારણ કે ત્યાં તેમની પાસે કોઈ કામ નથી.
તેમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ દેશની આવકમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે કારણ કે કોવિડ-19 વિરુદ્ધની જંગમાં તેને યોગ્ય આર્થિક સહાયતા પ્રાપ્ત નથી થઈ. ગડકરીએ કોરોના વાયરસના વધતા મામલાના સંદર્ભે ગયા મહિને કહ્યું હતું કે મુંબઈમાંથી ભીડ ઓછી કરવાની જરૂરત છે કારણ કે આટલી વસ્તી ધરાવતું શહેર વિનાશકારી પરિણામોનો સામનો કરી રહ્યું છે. જેના જવાબમાં શિવસેનાએ સોમવારે કહ્યું હતું કે જો તમે ઉત્તરપ્રદેશ અને બિહારમાં મુંબઈ અને પૂણે જેવા સ્માર્ટ શહેર બનાવી દેશો તો આ બંને શહેરમાંથી જનસંખ્યા આપોઆપ ઓછી થઈ જશે. પહેલાં આ રાજ્યોમાં રોજગારી પેદા કરવી પડશે.
મરાઠી દૈનિકે એ પણ કહ્યું કે જો રાજ્ય વધુમાં વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કરે તો ગડકરીની ચિંતાનું સમાધાન આપોઆપ આવી જશે. ગડકરી એવું કહે છે કે 1.50 લાખ પ્રવાસી શ્રમિકો મહારાષ્ટ્ર પરત આવી ગયા છે અને ત્યાં રોજગારી નથી તો તેનો મતલબ છે આ રાજ્યોમાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી. તંત્રી લેખમાં એ પણ કહેવાયું છે કે લૉકડાઉન દરમ્યાન 7થી 8 લાખ પ્રવાસી શ્રમિકો મુંબઈથી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ગયા છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ કહ્યું કે લગભગ ત્રણ લાખ લોકો પૂણેથી ગયા છે અને હવે તેમણે પરત આવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે મુંબઈ અને પૂણે પર બોજ વધી રહ્યો છે.
તેમાં એમ પણ લખાયું છે કે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કોરોના વાયરસના ખતરાની ઉપર ભૂખનો ખતરો છે. લોકો જોખમ લેવા તૈયાર છે અને નોકરીની પણ શોધ કરી રહ્યાં છે. શિવસેનાએ પૂછ્યું કે કેન્દ્ર સરકારે જૂન 2015માં સ્માર્ટ સિટી શરૂ કરી હતી પરંતુ આટલા વર્ષોમાં કેટલા શહેર સ્માર્ટ સિટી બન્યાં?