મહારાષ્ટ્રની રાજનીતિના 'મહાનાટક' વચ્ચે NCP નેતા શરદ પવારનું સોમવારે સવારે મોટું નિવેદન આવ્યું છે. હજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે ત્યાં શરદ પવારે કહ્યું કે અમે શિવસેના સાથે અઢી-અઢી વર્ષ બંને પાર્ટીના મુખ્યમંત્રી રહે તેવી વાત કરી હતી.
શરદ પવાર શિવસેના પાસેથી અઢી વર્ષનું CM પદ માંગ્યુ
હજુ બે દિવસ પહેલાં પવારે ઉદ્ધવ ઠાકરેને CM બનાવાવ કહ્યું હતું
શરદ પવાર અઢી વર્ષમાં કોને મુખ્યમંત્રી બનાવશે
આ સાથે શિવસેના, NCP અને કોંગ્રેસના MLAની સહી વાળા પત્ર ત્રણેય પાર્ટીએ રાજભવનાના સેક્રેટરીને સોપ્યો છે. જો કે સુપ્રીમની સુનાવણી બાદ જ આ અંગે સ્પષ્ટતા થશે.
મહારાષ્ટ્રના ધમાસાણા વચ્ચે શરદ પવારનું નિવેદન ખુબ મહત્વ પૂર્ણ બની જાય છે કે હજુ કાલ સુધી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતાં શરદ પવાર આજે કેમ અઢી-અઢી વર્ષના CMની વાત પર આવી ગયા. આ ઉપરાંત અજિત પવારે તો ઉપમુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે તો NCP હવે કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
NCP પ્રમુખ શરદ પવાર સતારા ખાતે જણાવ્યું કે અજિત પવારના ભાજપ સાથે જવા પાછળ પોતે જવાબદાર નહી હોવાનું જણાવ્યું હતું. શરદ પવારે કહ્યું અમે રાજ્યમાં સરકાર બનાવા પુરા સક્ષમ છીએ.
અમારી વચ્ચે વાતચીતમાં મોડુ થવાનું કારણ અમારી અલગ-અલગ વિચારધાર હતી. અજીત પવારે શુ તમારા ઇશાર પર આ પગલું ઉઠાવ્યું છે ? આ સવાલ પર હસતા હસતા શરદ પવારે જવાબ આપ્યો કે જો મારો હાથ હોત તો મારી પાર્ટીના નેતાઓને તો હુ ભરોસામાં લઇ લેત. હું શિવસેના સાથે આગળ વધી ચૂક્યો છું, હવે પીછેહઠ નહી કરું.