તાજેતરમાં કરેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે સ્વાર્થી સ્વભાવના લોકો તેના જીવનમાં સૌથી ઓછી કમાણી કરે છે અને તેમના જીવનમાં આર્થીક સંકટ પણ જલ્દી આવે છે. આ ઉપરાંત તેમના બાળકો પણ વધારે હોતા નથી. ધ ઈંસ્ટિટ્યૂટ ફોર ફ્યૂચર સ્ટડીઝ યૂનિવર્સિટી ઓફ સાઉથ કૈરોલિના અને સ્ટોકહોમ યૂનિવર્સિટીના શોધકર્તાઓ તેમના સર્વે પછી આ તારણ સુધી પહોંચ્યા છે.
આ સર્વે અમેરિકન અને યૂરોપિયન લોકો પર કરવામાં આવ્યો હતો. આ સર્વેના અંતે જણાવાયું કે જે લોકોના સ્વાર્થી સ્વભાવ અને તેમની આવક તેમજ ઈનફર્ટિલિટી વચ્ચે સંબંધ હોય છે. અમેરિકન અને યૂરોપિયન એમ બંન્નેના સર્વેના પરીણામો સ્પષ્ટ છે.
એટલે કે સૌથી ઉદાર અને નિ:સ્વાર્થી લોકોના બાળકો પણ વધારે હોય છે અને તેમની આવક પણ વધારે હોય છે. લોકોના સ્વાર્થી સ્વભાવ અને તેમની કમાણી વચ્ચે સંબંધ છે તે જાણવા માટે 4 અલગ અલગ સ્ટડીઝ કરવામાં આવી હતી. આ સ્ટડીઝના પરીણામો પરથી સ્પષ્ટ થયું છે કે સ્વાર્થી લોકોના બાળકો ઓછા હોય છે પરંતુ તે માન્યતા ખોટી સાબિત થઈ કે સ્વાર્થી લોકો વધારે કમાતા હોય છે.