જામનગરના એક શિક્ષિત યુવાને બેરોજગારી સામે લડવા ગાંઠિયાની લારી કરી છે અને તે ખુબ જ મહેનત કરી સફળ બન્યો. દેશના અને રાજ્યના અનેક યુવાનો માટે નવુ ઉદાહરણ પુરુ પાડ્યું છે
જામનગરનો સ્મિત નવો રાહબર
નિરાશ થવા કરતા કંઈક રસ્તો શોધો
એન્જિનિયર થઈને ગાંઠિયાનો વેપારી બન્યો
દેશમાં હાલ બેરોજગારી એક મોટી સમસ્યા છે અનેક ભણેલા ગણેલા લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે..ત્યારે જામનગરના એક શિક્ષિત યુવાને બેરોજગારી સામે લડવા ગાંઠિયાની લારી કરી છે અને તે ખુબ જ મહેનત કરી સફળ પણ બન્યો છે...અને દેશના અને રાજ્યના અનેક યુવાનો માટે નવુ ઉદાહરણ પુરુ પાડ્યું છે કે કોઈપણ ધંધો નાનો હોતો નથી અને મહેનત કરવાથી સફળતા મળે છે.
કોરોના અને લોકડાઉનના કારણે અનેક યુવાનો સપના, રોજગારી, નોકરી, છીનવાઈ છે.અનેક લોકોએ આ કપરાકાળમાં પોતાની રોજી ગુમાવી છે ત્યારે અનેક શિક્ષિત યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.. પરંતુ યુવાનો માત્ર માથે હાથ દઈને સરકાર સામે આશા રાખીને બેસી રહેશે તો કેમનું ચાલશે તેઓ જાતે મહેનત કરશે તો તેમને ફળ પણ મળશે અને તેનું જીવતુ જાગતું ઉદાહરણ છે સ્મિત મહેતા. સ્મિત મહેતા જામનગરના રહેવાસી છે અને તેઓ ભણ્યા બાદ સારી નોકરીની શોધમાં પણ હતા, પરંતુ તેમને તક મળી નહીં અને લાંબા સમય સુધી તેમણે સંઘર્ષ કર્યો અને નોકરી વગર ઘણો સમય પસાર કર્યો. સ્મીત મહેતાએ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે .હજારો લાખો યુવાનો આ પ્રકારે અભ્યાસ કરીને બેરોજગારીનો સામનો કરી રહ્યા છે..ત્યારે સ્મિત હાર ન માનતા તેમણે ગાંઠિયાનો ધંધો શરૂ કર્યો. સ્મિત પહેલા ફરસાણની દુકાનમાં નોકરી કરી હતી અને બાદમાં તેણે પોતાની લારી શરૂ કરી અને હવે તે નોકરી કરતા પણ સારી આવક કમાઈ રહ્યો છે.
ઉચ્ચ અભ્યાસ બાદ સારી નોકરીની શોધમાં યુવાનો અડધી જિંદગી બગાડતા હોય છે. કારણે કે તેઓ ભણ્યા બાદ પણ ગમે તેવી નોકરી કે ધંધો ન કરે તેવું તેમના અને તેમના વાલીઓમાં પણ હોય છે..સમાજમાં દેખાદેખીના કારણે અનેક યુવાનો નાનોમોટો ધંધો કરતા પણ ખચકાતા હોય છે પરંતુ સ્મીતે આ તમામ વસ્તુઓની પરવા કર્યા વગર પોતાનો ધંધો શરૂ કર્યો અને તેને સફળતા પણ મળી છે..
સ્મીતે રાજ્યના યુવાનોને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે કે કોઈપણ ધંધો કરીને પૈસા કમાઈ શકાય છે.ભલે અભ્યાસ કરીને બેઠા હોય પરંતુ શિક્ષિત બેરોજગાર કહેવડાવુ તેના કરતા ગાંઠિયાવાળા એન્જિનિયર કહેવડાવું સારું છે. અને બેરોજગારીથી કંટાળીને અનેક લોકો આડા પગલા ભરતા હોય છે તેમણે આ સ્મીતમાંથી શીખ લેવાની જરૂરી છે.