પાટણઃ દલિત આગેવાને કરેલા આત્મવિલોપનના મામલે પાટણ દલિત યુવા સેના દ્વારા પાટણ બંધનુ એલાન અપાયું છે. જ્યારે બીજી તરફ પાટણ કલેક્ટર કચેરી ખાતે પણ કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
શૈલેષ પરમાર બાદ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટનાને દુખદ ગણાવતા રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. તો આ તરફ જિગ્નેશ મેવાણીએ પણ એપોલો હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ડોક્ટરને મળ્યા બાદ મેવાણીએ પ્રતિક્રિયા આપી કે આ પગલું ભાનુભાઈએ કંટાળીને ભર્યુ છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાનુભાઈનો જીવ બચી જાય. સરકારે આ ઘટના બાદ ડૂબી મરવું જોઈએ. મેવાણીએ આ મામલો ગૃહમાં ઉપાડવાની વાત કરી છે.