વાસ્તુની જેમ જ જ્યોતિષમાં પણ દરેક રંગને કોઈને કોઈ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે પર્સનો રંગ પસંદ કરે છે. તો તેને ક્યારેય કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
વાસ્તુશાસ્ત્રમાં રંગોને ખૂબ મહત્વ
રાશિ પ્રમાણે કરો પર્સના રંગની પસંદગી
હંમેશા ભરેલુ રહેશે પર્સ
વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ભાગની દિશા, સામાન રાખવાની જગ્યા ઉપરાંત ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રમાં રંગોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેથી, દરરોજ પહેરવામાં આવતા કપડાના રંગ વિશે પણ સલાહ આપવામાં આવી છે.
જેથી જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે. વાસ્તુની જેમ જ જ્યોતિષમાં પણ દરેક રંગને કોઈને કોઈ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે પર્સનો રંગ પસંદ કરે છે. તો તેને ક્યારેય કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. ચાલો જાણીએ કે કઈ રાશિના વ્યક્તિ માટે ક્યા રંગનું પર્સ અથવા વોલેટ ફાયદાકારક હોઈ શકે છે.
લાલ પર્સ
મેષ, સિંહ અને ધન રાશિ વાળા જાતકો માટે લાલ અથવા નારંગી રંગનું પર્સ રાખવું ફાયદાકારક સાબિત થશે.
બ્રાઉન પર્સ
વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો માટે બ્રાઉન રંગનું પર્સ અથવા મટમેલ રંગનું પર્સ રાખવાથી લાભ થશે.
સફેદ રંગનું પર્સ
મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો માટે સફેદ અથવા વાદળી રંગનું પર્સ રાખવાથી આવક વધશે. સાથે જ તે માનસિક શાંતિ પણ અનુભવ કરશે.
લીલા રંગનું પર્સ
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે લીલા અથવા સફેદ રંગનું પર્સ રાખવાથી ખૂબ લાભ થશે.
પર્સમાં રાખો આ ખાસ વસ્તુઓ
જો તમે પોતાના પર્સને રૂપિયાથી ભરેલુ રાખવા ઉપરાંત પોતાની ધન સંબંધી મનોકામનાઓ પુરી કરવા માંગો છો તો લાલ રંગના કાગળ પર પોતાની મનોકામના લખો. ત્યાર બાદ તે કાગળને રેશમી દોરાથી બાંધીને તમારા પર્સમાં મુકો. સાથે જ તમારા વિચારને વધારેમાં વધારે સકારાત્મક રાખો. આમ કરવાથી થોડા સમયમાં તમારી મનોકામના પુરૂ થઈ શકે છે.