સિડની ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પર કરવામાં આવેલી વંશીય ટિપ્પણી બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કેખરેખર, ઓસ્ટ્રેલિયન દર્શકોને લીધે ફરી એક વધુ વાર ક્રિકેટને શરમ અનુભવવી પડી છે.
ઓસ્ટ્રેલિયન દર્શકોની કરતૂતને ગણાવી શરમજનક
પૂર્વ ઑસ્ટ્રેલીયન ક્રિકેટર ટોમ મૂડીએ પણ કરી ટીકા
સિડની ટેસ્ટના ચોથા દિવસે સિરાજ પર થઈ હતી વંશીય ટિપ્પણી
સિડનીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રેક્ષકોએ ફરી મોહમ્મદ સિરાજ ઉપર વંશીય ટિપ્પણી કરી હતી. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ નિંદા થઈ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરોએ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે.
Tum karo toh Sarcasm , aur koi Kare toh Racism .
Very unfortunate with what some of the Australian crowd has been doing at the SCG and spoiling the vibes of a good test series. pic.twitter.com/mrDTbX4t7i
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે લખ્યું છે, ' તુમ કરો તો sarcasm, ઔર કોઈ કરે તો Racism ' તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક ઑસ્ટ્રેલિયન દર્શકો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવું કૃત્ય કરી રહ્યા છે અને એક સારી ક્રિકેટ શ્રેણીની મજા બગાડી રહ્યા છે. પૂર્વ ભારતીય ઓપનર અને ક્રિકેટ કોમેંટેટર આકાશ ચોપડાએ લખ્યું છે, 'નસ્લવાદ માટે દુનિયામાં કોઈ સ્થાન નથી. હું આશા રાખું છું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આની તપાસ કરશે અને દોષીઓને સજા થશે.તેની સાથે જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ટોમ મૂડીએ પણ આ ઘટનાને વખોડી કાઢતા કહ્યું હતું કે 'તે સ્વીકાર્ય નથી. નસ્લવાદ માટે કોઈ સ્થાન નથી. '
Racism has no place in the world. The fact that we have to say this in 2021 proves that we haven’t done enough to eradicate the menace. Expecting Cricket Australia to investigate and punish the guilty. #AusvInd#Siraj
મહત્વનું છે કે આ ઘટના રવિવારે ઓસ્ટ્રેલિયન ઇનિંગની 86 મી ઓવર પછી બની હતી. 86 મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી. તેની ઓવર પૂરી કર્યા પછી સિરાજ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરવા ગયો હતો. ત્યારે કોઈએ તેના પર નસ્લવાદને લગતી ટિપ્પણી કરી. ત્યારબાદ સિરાજ કેપ્ટન રહાણે પાસે પહોંચ્યો અને વાત કરતો જોવા મળ્યો. બંનેએ ઓન-ફીલ્ડ અમ્પાયર પોલ રાઇફલને ફરિયાદ કરી હતી. પોલ રાઇફલે મેચ રેફરીને માહિતી આપી.
Unacceptable behaviour there is no place for racism, I hope this is dealt in the most severe way. #AUSvIND
ટેસ્ટના ત્રીજા દિવસે પણ બૂમરાહ અને સિરાજ પર થઈ હતી વંશીય ટિપ્પણી
મેચ રેફરીએ સિક્યુરિટી ગાર્ડ્સને કહ્યું હતું કે સ્ટેન્ડમાંથી કોઈએ સિરાજ વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરી હતી. આ સમય દરમિયાન રમત લગભગ 10-15 મિનિટ સુધી અટકી ગઈ. સુરક્ષા રક્ષકોએ કેટલાક દર્શકોને સ્ટેન્ડની બહાર મોકલ્યા, ત્યારબાદ રમત શરૂ થઈ.અગાઉ ત્રીજા દિવસની રમત દરમિયાન પ્રેક્ષકોએ સિરાજ અને બુમરાહ પર વંશીય ટિપ્પણી પણ કરી હતી. ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહાણે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ સુરક્ષા ગાર્ડ અને મેચ અધિકારીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી, ભારતીય ટીમ મેનેજમેન્ટે મેચ રેફરી ડેવિડ બૂન સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.