વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટના સર્વશ્રેષ્ઠ બેટરમાંથી એક છે. તે ભારતના કેપ્ટન અને શાનદાર લીડર પણ છે અને આજે તેની છેલ્લી મેચ એઝ કેપ્ટન છે.
વિરાટની કેપ્ટન તરીકે છેલ્લી મૅચ
સહેવાગે વર્ષો પછી કર્યો ખુલાસો
ધોની અને મેં વિરાટને બચાવ્યો હતો
કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કંઇ ખાસ નહોતી કરી. 2011માં પહેલી સિરીઝમાં 3 મૅચમાં માત્ર 76 રન બનાવવા પર ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. ટીમમાં પાછા આવ્યા બાદ પણ તેનો મોટા ભાગનો સમય બેન્ચ પર જ વિત્યો હતો.
સહેવાગે કર્યો ખુલાસો
વિરેન્દ્ર સહેવાગે ખુલાસો કરતાં જણાવ્યું કે સિલેક્ટર્સ કોહલીને ડ્રોપ કરવા માંગતા હતા પરંતુ મેં અને ધોનીએ તેનું સમર્થન કર્યું હતું. સિલેક્ટર 2012માં પર્થમાં વિરાટ કોહલીની જગ્યાએ રોહીત શર્માને ટીમમાં લેવાનું ઇચ્છતા હતા. ત્યારે હું ઉપ કપ્તાન અને ધોની કપ્તાન હતો. અમે બંનેએ નિર્ણય કર્યો કે કોહલીને ટીમમાં લેવો જોઇએ અને પછી જે થયું તે ઇતિહાસ છે.
વિરાટે લગાવ્યા છગ્ગા ચોગ્ગા
ધોની અને સહેવાગના સમર્થન બાદ વિરાટ કોહલીએ તક ઝડપી લીધી હતા. આ ક્ષણ બાદ તેને ક્યારેય ટીમમાંથી બહાર નહોતો કરવામાં આવ્યો. તેણે પહેલી ઇનિંગમાં 44 અને બીજીમાં 75 રન બનાવ્યા હતા.
T 20 વર્લ્ડ કપમાં સોમવારે ભારતીય ક્રિકેટ ટીમ અને નામીબિયા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જોકે આ મેચનું કોઈ ખાસ મહત્વ નથી. ભારત-નામિબિયા બંને ટીમો T20 વર્લ્ડ કપ 2021માંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, જોવામાં આવશે કે ટીમ કેટલા મોટા માર્જિનથી જીત મેળવવામાં સફળ રહે છે.