શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ સીએમ ઠાકરેની અયોધ્યા પ્રવાસનો વિરોધ કર્યો છે. જે 7 માર્ચે અહીં આવવાના છે. મહંત પરમહંત દાસે મંગળવારે (3માર્ચ 2020)ના રોજ કહ્યું કે તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે.
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશે
ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને મહંત પરમહંત
મહંતે કહ્યું કે તમને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રામભક્તોની લાગણી દુભાવી છે
મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી છે.
મહંત પરમહંત દાસે કહ્યું કે શિવસેના જ્યાં સુધી કોંગ્રેસની સાથે ગઠબંધનમાં છે. ત્યાં સુધી અયોધ્યામાં આવવાની જરુર નથી. તેમણે એમ પણ કહ્યું કે શિવસેનાએ એ રામભક્તોને દગો આપ્યો છે. જેમણે તેમને વોટ આપ્યા હતા. રામ ભક્તોએ તેમને વોટ માત્ર એટલા માટે આપ્યા હતાં કેમ કે તે હિંદુત્વની પાર્ટી હતી. હિંદુ રાષ્ટ્ર આ પાર્ટીનું લક્ષ્ય હતુ. ભગવા સમાજ માટે આ પાર્ટી સમર્પિત હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તાની લાલચમાં શિવસેનાએ ભગવાન રામને કાલ્પનિક કહેનારી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું. સીએમ ઠાકરે જો અયોધ્યા જશે તો હું પોતે તેનો રસ્તો રોકીશ. ઉલ્લેખનીય છે કે 7 માર્ચના રોજ ઠાકરે અયોધ્યા જઈ રામજન્મભૂમિમાં વિરાજમાન રામલલાના દર્શન કરશે.