જ્યોતિષ શાસ્ત્રના કેટલાક સંકેત કહે છે કે યાત્રા સમયે કેટલીક વસ્તુઓ દેખાય તો જાણી શકાય છે કે યાત્રા શુભ રહેશે કે અશુભ.
યાત્રાને લઈને જાણો આ વાતો
તમને પણ દેખાય છે આ ચીજો તો જાણો અર્થ
જાણો કઈ ચીજ શુભ છે
જ્યારે આપણે યાત્રા માટે કે પછી કોઈ શુભ કામે જતા હોઈએ છીએ ત્યારે ઘરેથી નીકળતા કોઈ છીંક ખાય કે બિલાડી રસ્તો કાપે તો તેને લઈને શંકા કરવામાં આવે છે અને તેને અશુભ માનવામાં આવે છે. આ કારણ છે કે બાળપણથી જ આપણને આ વાતો કહેવામાં આવે છે કે ઘરની બહાર જતા વ્યક્તિને ટોકવું નહીં. તે અશુભ ફળ આપે છે. જાણો જ્યોતિષમાં કઈ વસ્તુને અશુભ અને કઈ વસ્તુને શુભ ગણાવાઈ છે.
આ છે શુભ સંકેતો
ગાયનું દેખાવવું
જો તમે યાત્રા પર કે શુભ કામે જાઓ છો અને તમને ગાય સામે મળે છે તો તે તમારા માટે શુભ હોઈ શકે છે. તમારી યાત્રા સારી રહે છે. આ કારણ છે કે હિંદુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. સાથે જ ગાયનું ગોબર દેખાય તો તે પણ શુભ માનવામાં આવે છે. પણ તે ગોબરમાં પગ પડે તો તે અશુભ મનાય છે.
અંતિમ યાત્રા દેખાવવી
જો તે બહાર કોઈ કામે જાઓ છો કે પ્રવાસે જાઓ છો અને તમને કોઈ અંતિમ યાત્રા દેખાય છે તો તેને ખરાબ ન માનો, તે સફળતાનો સંકેત હોઈ શકે છે. તેનો અર્થ છે કે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવાની છે. તમારા બગડેલા કામ સુધરી જશે. અંતિમ યાત્રાને પ્રણામ કરીને આગળ વધો.
શંખ કે ઘંટડીનો અવાજ સંભળાવવો
યાત્રા કે બહાર જતી સમયે તમને શંખ કે ઘંટડીનો અવાજ સંભળાય છે તો સમજો કે તમારી યાત્રા સફળ થવાની છે અને મંગળમય રહેવાની છે. તમારી સાથે ઈશ્વર છે. આવું થવાથી તમારા બગડેલા કામ બનશે અને દિવસ સારો પસાર થશે.
પાણીનું ભરેલું વાસણ દેખાવવું
જો યાત્રા કરતી સમયે રસ્તામાં કે ઘરેથી નીકળતા પાણીનો ઘડો દેખાય તો નક્કી માનો કે તમે જે કામે જઈ રહ્યા છો તે પૂરું થશે. આ સિવાય દૂધ, દહીં દેખાય તો તે પણ શુભ માનવામાં આવે છે. આ ચીજના સંકેતથી તમારી યાત્રા શુભ રહે છે. અવરોધ ખતમ થાય છે અને સફળતા મળે છે.
આ જાનવરો દેખાય તો
જો તમને રસ્તામાં હાથ, સાપ કે ઘોડો દેખાય છે તો તે શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારી યાત્રા મંગળકારી અને સફળ રહેશે.