અમદાવાદમાં દિવાળીની ખરીદી માટેની ભીડ જોઈને સિવિલ હોસ્પિટલે તૈયારી કરી લીધી છે. જેમા હોસ્પિટલ દ્વારા 200 વેન્ટિલેટર બેડ અને 900 ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. સાથેજ 3000નો સ્ટાફ પણ રેડી કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદના લોકોની ભીડ જોઈને સિવિલ હોસ્પિટલ તૈયાર
તહેવારોમાં લોકોની ભીડ જોઈ તંત્ર એકશનમાં
સિવિલ હોસ્પિટલમાં 900 બેડની વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદમાં આ વખતે દિવાળીની ખરીદી માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. તહેવારોને લઈને લોકો હવે કોરોનાને ભૂલી ગયા છે. કોરોના શાંત ભલે પડી ગયો છે પરંતુ હજુ નાબૂદ નથી થયો જેથી અમદાવાદમાં જે રીતે ભીડ એકઠી થઈ છે. તેને લઈને તબીબોએ ચીંતા વ્યક્ત કરી છે.
તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી
જોકે તંત્ર પણ હવે તો એકશન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પણ પરિસ્થિતીને સંભાળવાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ખાસ કરીને તંત્રએ તૈયારીઓ વધારી છે. જેના કેસ વધે તો સારવાર આપવાને લઈને હોસ્પિટલ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
200 વેન્ટિલેટર બેડ તૈયાર
હોસ્પિટલમાં 200 વેન્ટિલેટર બેડ, 900 ઓક્સિજન બેડ, અને 3 હાજર લોકોનો મેડિકલ સ્ટાફ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો રજનીશ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રીયા આફતા લોકોને કહ્યું છે કે લોકોએ બેદરાકારી ન રાખવી જોઈએ કારણકે કરોના હજુ ગયો નથી.
લોકો ક્યારે પરિસ્થિતી સમજશે તે ગંભીર પ્રશ્ન
ઉલ્લેખનીય છે ડૉક્ટર રજનીશ પટેલે એવું પણ કહ્યું કે લોકોએ વ્યક્તિગત સાવચેતી રાખવી જરૂરી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ગયા વર્ષની દિવાળી લોકોએ ભૂલવી ન જોઈએ. મહત્વનું છે પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલે પણ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ લોકો પરિસ્થિતીને નથી સમજી રહ્યા તે એક ગંભીર પ્રશ્ન છે