કેન્સર સામે લડતા પતિને જોતા જ પત્નીની આંખ ભરાઈ આવી હતી. બધા જ વિવાદો આ આંસુઓમાં વહી ગયા. ત્યારબાદ અલગ ન થવાની કસમ ખાઈને પતિ-પત્ની પોતાના ઘરે ગયા હતા. રાષ્ટ્રીય લોક અદાલતમાં 207 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય લોક અદાલતમાં 207 કેસોનો નિકાલ કરવામાં આવ્યો
36 યુગલો સાથે રહેવા માટે સહમત થયા હતા
અલગ ન થવાની કસમ ખાઈને પતિ-પત્ની પોતાના ઘરે ગયા
કહેવાય છે કે સંબંધો ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે. ગમે તેટલો અણગમો કેમ ન હોય, પરંતુ જ્યારે પરિવારને પીડામાં જોઈએ તો દિલ પીગળી જાય છે. કંઈક આ પ્રકારનો જ નજારો શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતમાં જોવા મળ્યો હતો. દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ સમાધાન માટે પહોંચ્યા હતા. કેન્સર સામે લડતા પતિને જોતા જ પત્નીની આંખ ભરાઈ આવી હતી. બધા જ વિવાદો આ આંસુઓમાં વહી ગયા. ત્યારબાદ અલગ ન થવાની કસમ ખાઈને પતિ-પત્ની પોતાના ઘરે ગયા હતા. રાષ્ટ્રીય લોક અદાલતમાં 207 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. 36 યુગલો સાથે રહેવા સહમત થયા.
દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ હરવીર સિંહના લગ્ન રાજેન્દ્ર નગરની રહેવાસી નમિતા સાથે 10 મે 1998ના રોજ થયા હતા. બંનેને 2 પુત્રો હતા. મોટો દીકરો સૈનિક છે. નાનો દિકરો હજુ અભ્યાસ કરે છે. હરવીરને બ્લડ કેન્સર છે. નાની-મોટી બાબતોમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. વાત એટલી વધી ગઈ કે બંને અલગ થઈ ગયા. હરવીરે કોર્ટમાં અરજી દાખલ કરીને નમિતા સાથે રહેવાની વિનંતી કરી હતી. હરવીર અને નમિતા બંને શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતમાં પહોંચ્યા હતા. હરવીરની હાલત નમિતા પણ ન જોઈ શકી. ભીની આંખો સાથે વધુ કંઈ બોલ્યા વગર સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. કોર્ટે બંનેને સાથે રહેવાનો આદેશ આપ્યો. ફરીદાબાદની જ્યોતિએ પણ પતિ સાથે જવાનુ પંસદ કર્યું
ફરીદાબાદની જ્યોતિના લગ્ન આલોક સિંહ સાથે 3 વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી થોડા દિવસો સુધી બધું બરાબર હતું. પછી ઝઘડો થવા લાગ્યો હતો. વાત વધી જતાં જ્યોતિ તેના ઘરે જતી રહી હતી. જ્યોતિએ ભરણપોષણ માટે અરજી દાખલ કરી હતી. આલોક સિંહે કોર્ટ ને તેમની પત્નીને સાથે રહેવાની વિનંતી કરી હતી. બંનેના આરોપો સાંભળ્યા બાદ કોર્ટે બંનેને થોડો સમય સાથે વિતાવવા કહ્યું હતું. કોર્ટના આદેશ પર બંને વચ્ચે વાતચીત થઈ હતી. પછી જ્યોતિ આલોક સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. પ્રેમલતા અને વીર પણ એક થયા
દિલ્હીની પ્રેમલતાના લગ્ન 17 જાન્યુઆરી 2017ના રોજ સિદ્ધાર્થ વિહારના વીર સિંહ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. પછી પ્રેમલતા તેના ઘરે જતી રહી. . જ્યારે પ્રેમલતાએ કોર્ટમાં દાવો દાખલ કર્યો ત્યારે વીર સિંહે આરોપ લગાવ્યો કે પ્રેમલતાને ફરવાનો શોખ હતો. તે ઘર પોતાના નામે કરાવવા માટે દબાણ કરી રહી છે. કોર્ટે બંનેના આરોપો સાંભળ્યા અને ફરી એકવાર બંનેને સાથે રહેવાની તક આપી. કોર્ટની વાત સાંભળ્યા બાદ પ્રેમલતા તેના પતિ સાથે જવા માટે તૈયાર થઈ ગઈ હતી.