શનિવારે સાંજે 8માંથી બે ચિત્તાને એક મોટા ઘેરામાં છોડવામાં આવ્યા હતા.આ ચિત્તાઓ છેલ્લા 50 દિવસથી એક નાના વિસ્તારમાં ક્વોરેન્ટાઈનમાં હતા.
કુનો નેશનલ પાર્કમાં 8માંથી બે ચિત્તાને એક મોટા ઘેરામાં છોડવામાં આવ્યા
આ ચિત્તાઓ છેલ્લા 50 દિવસથી એક નાના વિસ્તારમાં ક્વોરેન્ટાઈનમાં હતા
વનાર દિવસોમાં વધુ 6 ચિતાઓને વારાફરતી છોડવામાં આવશે
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં શનિવારે સાંજે 8માંથી બે ચિત્તાને એક મોટા ઘેરામાં છોડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ ચિત્તાઓ છેલ્લા 50 દિવસથી એક નાના વિસ્તારમાં ક્વોરેન્ટાઈનમાં હતા અને હવે આવનાર દિવસોમાં વધુ 6 ચિતાઓને ધીરે ધીરે વારાફરતી છોડવામાં આવશે. શનિવારે સાંજે 7 વાગ્યે ચિતા ટાસ્ક ફોર્સના સભ્યો અને વન્યજીવ નિષ્ણાતોએ બે ચિત્તાઓને છોડ્યા હતા. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચિત્તાઓને મોટા ઘેરામાં છોડવા પર ટ્વિટ કરીને તેમની ખુશી વ્યક્ત કરી હતી.
ચિત્તાઓને મોટા ઘેરામાં છોડવા પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 'ખૂબ સારા સમાચાર! એવું કહેવામાં આવ્યું હતું કે જરૂરી ક્વોરેન્ટાઈનમાં રહ્યા પછી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ અનુકૂલન માટે 2 ચિત્તાઓને મોટા ઘેરામાં છોડવામાં આવ્યા છે અને હવે અન્ય ચિતાઓને પણ ટૂંક સમયમાં છોડવામાં આવશે. મને એ જાણીને ખૂબ જ આનંદ થયો છે કે બધા ચિત્તા સ્વસ્થ, સક્રિય અને સારી રીતે જીવી રહ્યા છે.
Great news! Am told that after the mandatory quarantine, 2 cheetahs have been released to a bigger enclosure for further adaptation to the Kuno habitat. Others will be released soon. I’m also glad to know that all cheetahs are healthy, active and adjusting well. 🐆 pic.twitter.com/UeAGcs8YmJ
5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે મોટી વાડ
આ વિશે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'આ મોટી વાડ 5 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે અને આગામી દિવસોમાં 8 ચિતાઓમાંથી પાંચ માદા અને ત્રણ નરને પણ આ મોટા ઘેરામાં છોડવામાં આવશે.' ચિતાઓને ભારતમાં સ્થાયી કરવાની યોજનાના ભાગરૂપે 17 સપ્ટેમ્બરના રોજ એમને નામીબીયાથી શિયોપુરના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચિત્તાઓને છોડ્યા હતા.જણાવી દઈએ કે 5 નવેમ્બરે આ ચિત્તાઓએ 50 દિવસ ક્વોરેન્ટાઈનમાં પૂરા કર્યા હતા.
ચિત્તાઓને એક મહિના માટે ક્વોરેન્ટાઈન રાખવામાં આવે
પ્રારંભિક યોજના હેઠળ, ફ્રેડી, અલ્ટોન, સવાન્નાહ, સાશા, ઓબાન, આશા, ચિબિલી અને સાયસા નામના આ ચિત્તાઓને એક મહિના માટે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા અને નિષ્ણાતોના મતે સામાન્ય રીતે જંગલી પ્રાણીઓને ટ્રાન્સફર કર્યા પહેલાં અને પછી એક મહિના માટે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવે છે જેથી તેઓ અન્ય દેશોમાંથી તેમની સાથે લાવેલ કોઈ સંક્રમણ ન ફેલાવે.