આ મહિનામા આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર જાણકારો કહી રહ્યા છે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ સૌથી ઘાતક સાબિત થઈ શકે, ભારતમાં બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હોવાનું અનુમાન
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો
આ મહિનામાં આવી શકે છે કોરોનીની ત્રીજી લહેર
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો સૌથી મોટા ખતરો
ભારતમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો ખતરો વર્તાઈ રહ્યો છે પરતું તે ક્યારે આવશે તે હજુ સુધી ચોક્કસ અનુમાન લગાવી શકાયું નથી પરતું ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ સંશોધન મહામારી અને રોગ સંક્રમણના પ્રમુખ ડોક્ટર સમીરન પાંડાએ કોરોનાની ત્રીજી લહેરને લઈ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનામાં આવી શકે છે તેમણે એમ પણ કહ્યું કે પહેલી અને બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી જોખમી સાબિત થઈ શકે છે, ત્રીજી લહેરની અસર સામાન્ય જોવા મળી શકે છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો
મહામારી અને રોગ સંક્રમણના પ્રમુખ ડોક્ટર સમીરન પાંડા કોરોનાને લઈ વધુ માહિતી આપતા જણાવ્યું કે કોરોના સંક્રમણ રોકવું અને લોકોને સુપર સ્પ્રેર્ડસ બનતા અટકાવવા એ મહત્વનું છે કેમ કે આને કારણે કોરોના સંક્રમણનું પ્રમાણ વધે છે અને કેસની સંખ્યમાં વધારો થયા છે એટલે કોરોના કેસ વધવાનું પ્રમાણ સીધુ જ સુપર સ્પ્રેડર્સ વધવા સાથે સંકળાયેલું છે.
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો સૌથી મોટા ખતરો
સરકાર પણ કરી રહી છે કે લોકો કોરોનાની આગાહીને હવામાન વિભાગની આગાહીની જેમ ગંભીરતાથી લઈ રહ્યા છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધાનામે ચેતવણી આપતા કહ્યું કે આજે કોરોના નવા વેરિયન્ટને કારણે સમગ્ર વિશ્વ ત્રીજી લહેરના સંકટથી ઘરાયેલું છે, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ અત્યાર સુધીમાં 111 દેશમા જોવા મળ્યા છે,
ડેલ્ટા વેરિયન્ટના 111 દેશમા જોવા મળ્યા
એવું પણ મનાઈ રહ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટનો પહેલો કેસ ભારતમાં સામે આવ્યો હતો. જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. WHOના વડાએ આ વેરિયન્ટને લઈને નિવેદન આપતા કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ દુનિયાભરમાં સૌથી ફેલાનાર મુખ્ય કોવિડ 19નો સ્ટ્રેન હશે.