બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસર પર લુમ્બિનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આવા અવસર પર નેપાળ આવવું મારા માટે સૌભાગ્યની વાત છે.
ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં પીએમ મોદી
બુદ્ધિ પુર્ણિમાના અવસરે પીએમ મોદી બોલ્યાં
બુદ્ધ બોધ પણ, બુદ્ધ શોધ પણ
વડનગર સાથે બુદ્ધનો સંબંધ-મોદી
ભગવાન બુદ્ધના જન્મસ્થળ નેપાળના લુમ્બિનીમાં બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભાષણ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બુદ્ધ બોધ પણ, બુદ્ધ શોધ પણ છે. તેમણે કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે વધી રહેલી ફ્રેન્ડશીપ સમગ્ર માનવજાતિના લાભ માટે કામ કરશે અને. ભગવાન બુદ્ધની કરુણા અને પ્રેમ આપણે સહુ બંધાયેલા છીએ તે આપણને એક પરિવારની જેમ બનાવે છે.
બુદ્ધ બોધ ભી, બુદ્ધ શોધ ભી
પીએમ મોદીએ કહ્યું કે બુદ્ધ માનવતાની સામૂહિક સમજનો અવતાર છે. બુદ્ધ બોધા છે અને બુદ્ધ સંશોધન પણ છે. બુદ્ધ વિચારો છે અને બુદ્ધ સંસ્કારો પણ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો હિમાલય જેવા અડગ છે.
વડનગર સાથે બુદ્ધનો સંબંધ-મોદી
પીએમ મોદીએ લુમ્બિનીમાં વડનગરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન બુદ્ધની સાથે મારો નાતો રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં મારો જન્મ થયો છે, ગુજરાતનું વડનગર, તે સદીઓ પહેલા બૌદ્ધ શિક્ષણનું વિશાળ કેન્દ્ર હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો બહાર આવી રહ્યા છે, જેના સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે.
નેપાળ વિના રામ અધૂરા
જનકપુરમાં મેં કહ્યું હતું કે 'નેપાળ વગર આપણા રામ પણ અધૂરા છે.' હું જાણું છું કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, ત્યારે નેપાળના લોકો પણ એટલા જ ખુશ છે.
Buddha is embodiment of the collective understanding of humanity, says PM Narendra Modi at Buddhist Conference in Lumbini
બંને દેશોના સંયુક્ત પ્રયાસો
નેપાળમાં લુમ્બિની મ્યુઝિયમનું નિર્માણ પણ બંને દેશો વચ્ચેના સંયુક્ત સહયોગનું ઉદાહરણ છે અને આજે અમે લુમ્બિની બૌદ્ધ યુનિવર્સિટીમાં બૌદ્ધ અધ્યયન માટે ડૉ. આંબેડકર ચેર સ્થાપિત કરવાનો નિર્ણય પણ લીધો છે.
India and Nepal's ever-strengthening friendship and closeness will serve entire humanity: PM Modi tells Buddhist Conference in Lumbini
નેપાળની મુલાકાત પહેલા જારી કરેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, "નેપાળ સાથેના અમારા સંબંધો અનોખા છે. ભારત અને નેપાળ વચ્ચેનાં સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનાં સંબંધો આપણાં ગાઢ સંબંધોનાં મજબૂત માળખા પર નિર્ભર છે. 2014 બાદ વડાપ્રધાન મોદીની આ પાંચમી નેપાળ યાત્રા છે. વડાપ્રધાન મોદી અને તેમની ટીમ સોમવારે સવારે ઉત્તર પ્રદેશના કુશીનગરથી ભારતીય વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટર દ્વારા લુમ્બિની પહોંચ્યા હતા. તેઓ આજે સાંજે 4 વાગ્યે દેશ પરત ફરશે.