ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ સમજાવી બચાવી લીધી હતી
સુરતના પાલ ઉમરા બ્રિજ પાસેની ઘટના
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપઘાત કરવા જતી યુવતીને બચાવાઇ
5 મિનિટ સુધી હર્ષ સંઘવીએ યુવતીને સમજાવી
સુરતના પાલ ઉમરા બ્રિજ પાસેની ઘટના
શનિવાર-રવિવાર હોવાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના શહેર સુરતમાં પહોંચ્યા હતા. દરમિયાન શનિવારે રાત્રે તેઓ અડાજણ વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા નીકળ્યા હતા. ત્યારે પાલ ઉમરા બ્રિજ પાસે એક યુવતી નદીમાં મોતની છલાંગ લગાવવા જઈ રહી હતી. તે સમયે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી હતી.
હર્ષ સંઘવીએ યુવતીને 5 મિનિટ સુધી સમજાવી
તે સમયે હર્ષ સંઘવીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેમણે ભીડ જોતા ગાડી રોકાવી હતી. તેઓ ગાડીમાથી ઉતરી ટોળા તરફ ગયા હતા અને સમગ્ર મામલો જાણ્યો હતો.તેમણે જાણ્યુ કે યુવતી આત્મહત્યા કરવા જઈ રહી છે, તો તેમણે યુવતીને સમજાવી હતી. પોતાના કાર્યક્રમની ચિંતા કર્યા વગર તેમણે યુવતીનો જીવ બચાવવા સમય ફાળવ્યો હતો. પાંચ મિનિટ સુધી તેમણે યુવતીને સમજાવી હતી,
ગૃહમંત્રીએ સમજાવાતા યુવતીએ પોતાનું મન વાળ્યું
બાદ યુવતીને પોલીસ સ્ટેશન મોકલીને તેની ફરિયાદ લેવા પણ મદદ કરાવી હતી. તેમણે બનતી મદદ કરવાની ખાતરી આપીને યુવતીને આત્મહત્યા ન કરવા સમજાવી હતી. જેના બાદ યુવતીએ પોતાનું મન વાળ્યું હતું. આમ, યુવતીને મદદ કરીને તેઓ આગળ પોતાના કાર્યક્રમમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સંવેદનશીલતા માટે પ્રખ્યાત છે. તેઓ સતત લોકોની મદદે આવતા હોય છે, અને લોકોની વચ્ચે રહેતા હોય છે.