રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના સ્થાને ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા
જસ્ટીસ DY ચંદ્રચૂડની દેશના નવા ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક
તેઓ આ પદ પર 10 નવેમ્બર 2024 સુધી કાર્યભાળ સંભાળશે
તેઓ મુંબઈ હાઈકોર્ટનાં જજ અને અલ્હાબાદ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે
જસ્ટીસ DY ચંદ્રચૂડની દેશના નવા ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક થઈ ગઈ છે. તે આ પદ પર 10 નવેમ્બર 2024 સુધી પોતાનો કાર્યભાળ સંભાળશે. નવા ચીફ જસ્ટીસ DY ચંદ્રચૂડનાં પિતા YV ચંદ્રચૂડ પણ ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે. જસ્ટિસ DY ચંદ્રચૂડ મુંબઈ હાઈકોર્ટનાં જજ અને અલ્હાબાદ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2016 માં સુપ્રિમ કોર્ટનાં જજ બન્યા હતા.
જજ DY ચંદ્રચૂડ દેશનાં 50 માં ચીફ જસ્ટીસ બની ગયા છે. રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુએ તેમને ચીફ જસ્ટિસ પદનાં શપથ લેવડાવ્યા હતા. સુપ્રિમ કોર્ટેના જજ રહેલ જસ્ટિસ DY ચંદ્રચૂડે ઘણા મહત્વના ચૂકાદા આપ્યા છે. તેમણે અનુચ્છેદ 370, ગોપનીયતાનો અધિકાર તેમજ અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલ મહત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે.
CJI DY ચંદ્રચુડના પિતા સ્વર્ગસ્થ YV ચંદ્રચુડ પણ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમના પિતા 22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઈ 1985 સુધી ચીફ જસ્ટીસ હતા. તેમના પિતા પહેલા ચીફ જસ્ટિસ છે જેમણે સૌથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યું છે. જ્યારે પિતા અને પુત્ર બંને આ પદ પર પહોંચ્યા છે.
CJI ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો અને તેઓ આ પદ પર 10 નવેમ્બર 2024 સુધી ચાલુ રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટના જજોની નિવૃત્તિ વય 65 વર્ષ છે. તેમની પહેલા ચીફ જસ્ટિસ રહેલા યુયુ લલિતનો કાર્યકાળ માત્ર 74 દિવસનો હતો.
મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે તે કેવી રીતે નક્કી થાય છે?
આને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સુપ્રીમ કોર્ટના જજ કેવી રીતે બને છે. કોલેજિયમ સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂકની ભલામણ કરે છે.
કોલેજિયમમાં માત્ર સુપ્રીમ કોર્ટના જજ છે. આ કોલેજિયમ જજ માટેનું નામ કેન્દ્ર સરકારને મોકલે છે. કેન્દ્રની મહોર મળ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક થાય છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ જે દિવસે શપથ લે છે તે દિવસે તે ચીફ જસ્ટિસ બનશે કે નહીં તે નક્કી થઈ જાય છે. કેટલીકવાર, એક જ દિવસે શપથ લેનારા માત્ર બે જજ જ વરિષ્ઠ અને જુનિયર બને છે.
ઉદાહરણ તરીકે, જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ ચેલમેશ્વરે એક જ દિવસે સુપ્રીમ કોર્ટમાં શપથ લીધા હતા. પરંતુ પહેલા શપથ લેવાના કારણે જસ્ટિસ દીપક મિશ્રા સીનીયર બન્યા અને તે ચીફ જસ્ટિસ બન્યા.
જો કે એક જ દિવસે ઘણા ન્યાયાધીશો શપથ લે છે, પછી કયા ન્યાયાધીશો કયા ક્રમમાં શપથ લેશે, તે પણ સિનિયોરિટીના ક્રમ દ્વારા નક્કી કરવામાં આવે છે.
2027 સુધીનું શિડ્યુલ નક્કી
હાલમાં ચીફ જસ્ટિસના પદ પર આવનારા જજોમાં 2027 સુધીનું શિડ્યુલ નક્કી છે. જસ્ટિસ ચંદ્રચુડ 9 નવેમ્બર 2022 થી 10 નવેમ્બર 2024 સુધી એટલે કે સંપૂર્ણ બે વર્ષ માટે મુખ્ય ન્યાયાધીશ રહેશે.
જસ્ટિસ ચંદ્રચુડ બાદ જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર 2024થી 13 મે 2025 સુધી ચીફ જસ્ટિસ રહેશે. જસ્ટિસ સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના પણ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ હતા. પરંતુ કહેવાય છે કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા નહોતા, જેના કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું.
જસ્ટિસ સંજીવ ખન્ના પછી જસ્ટિસ બીઆર ગવાઈ 14 મે 2025થી 13 નવેમ્બર 2025 સુધી એટલે કે કુલ છ મહિના માટે આ પદ સંભાળશે. તેમના પછી જસ્ટિસ સૂર્યકાંતનો નંબર આવશે. જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બર 2025થી 9 ફેબ્રુઆરી 2027 સુધી લગભગ દોઢ વર્ષ સુધી આ પદ સંભાળશે.
9 ફેબ્રુઆરી, 2027ના રોજ જસ્ટિસ સૂર્યકાંતની નિવૃત્તિ બાદ જસ્ટિસ વિક્રમ નાથ ચીફ જસ્ટિસ બની શકે છે. જસ્ટિસ વિક્રમ નાથ 4 મહિના માટે ચીફ જસ્ટિસ રહેશે. તેમના પછી જસ્ટિસ બીવી નાગરત્ના ચીફ જસ્ટિસ બની શકે છે. જોકે, તે આ પદ પર માત્ર 36 દિવસ જ રહેશે. જસ્ટિસ બીવી નાગરથ્ના દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ હશે.
મુખ્ય ન્યાયાધીશનો પગાર કેટલો હોય?
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને ન્યાયાધીશોના પગારમાં છેલ્લે જાન્યુઆરી 2016માં સુધારો કરવામાં આવ્યો હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનાં જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર 2.80 લાખ રૂપિયા છે અને તેમના ન્યાયાધીશોનો પગાર દર મહિને 2.50 લાખ રૂપિયા છે. નિવૃત્તિ બાદ ચીફ જસ્ટિસને 16.80 લાખ રૂપિયા અને જજોને વાર્ષિક 15 લાખ રૂપિયા પેન્શન મળે છે. આ સાથે 20 લાખ રૂપિયાની ગ્રેચ્યુઈટી પણ આપવામાં આવે છે.
તમામ રાજ્યોની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2.50 લાખ અને ન્યાયાધીશોને 2.25 લાખ રૂપિયાનો પગાર મળે છે. નિવૃત્તિ બાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને 15 લાખ રૂપિયા અને ન્યાયાધીશોને 13.50 લાખ રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે.